કોરોનાની અસર તહેવારો પર વર્તાવાની શરૂ, ઉત્તરાયણ પહેલા 50% માર્કેટથી વેપારીઓ ચિંતામાં, ગાઈડલાઈન શું આવશે તેના પર પણ પ્રશ્ન
કોરોનાની અસર તહેવારો પર પડી રહી છે જેને કારણે ઉત્સવપ્રેમી જનતા તણાવનો અનુભવ કરી રહી છે. કોરોનાને કારણે આ વખતે ઉત્તરાયણના પર્વ પર પણ ગ્રહણ લાગે તો નવાઈ નહીં.. ઉત્તરાયણનો પર્વ નજીક આવે ત્યારે બજારમાં તેની તડામાર તૈયારીઓ થવા લાગે છે પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે ઉત્તરાયણમાં 50 ટકા માર્કેટ જ છે. આ તરફ […]
કોરોનાની અસર તહેવારો પર પડી રહી છે જેને કારણે ઉત્સવપ્રેમી જનતા તણાવનો અનુભવ કરી રહી છે. કોરોનાને કારણે આ વખતે ઉત્તરાયણના પર્વ પર પણ ગ્રહણ લાગે તો નવાઈ નહીં.. ઉત્તરાયણનો પર્વ નજીક આવે ત્યારે બજારમાં તેની તડામાર તૈયારીઓ થવા લાગે છે પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે ઉત્તરાયણમાં 50 ટકા માર્કેટ જ છે. આ તરફ અમદાવાદના વેપારીઓને પતંગ બનાવવાનો ઓર્ડર તો મળી રહ્યો છે પરંતુ માત્ર 50 ટકા તો કેટલાક વેપારીઓને તો 25 ટકા ઓર્ડર જ મળી રહ્યો છે.
આ તરફ પતંગ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા 8 હજાર જેટલા લોકોને પણ કોરોનાની અસર થઈ રહી છે તેવામાં ઉત્તરાયણ પર્વને મંજૂરી મળશે કે નહીં અને શું ગાઈડલાઈન હશે તેને લઈને વેપારીઓ અસમંજસમાં છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો