જાણો કેમ ગુજરાતના CM વિજય રુપાણી છે ભાજપના સંગઠનથી જ નારાજ?
ગુજરાતમાં છેલ્લાં કેટલાય સમયથી સરકાર અને સંગઠન વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. જો કે પેટાચૂંટણીના પરિણામો બાદ ના મુદ્દો માત્ર રાજકીય વર્તુળોમા જ નહી પરંતુ જનતામા પણ ચર્ચાનો વિષય બન્યો છે જેની નોધ ખુદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી એ લીઘી છે. સંગઠનને સક્રિય થવા ટકોર કરી છે. આમ તો સરકારના પ્રજા લક્ષી કામને […]
ગુજરાતમાં છેલ્લાં કેટલાય સમયથી સરકાર અને સંગઠન વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. જો કે પેટાચૂંટણીના પરિણામો બાદ ના મુદ્દો માત્ર રાજકીય વર્તુળોમા જ નહી પરંતુ જનતામા પણ ચર્ચાનો વિષય બન્યો છે જેની નોધ ખુદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી એ લીઘી છે. સંગઠનને સક્રિય થવા ટકોર કરી છે. આમ તો સરકારના પ્રજા લક્ષી કામને લોકો સુધી પહોચાડવા અને વિપક્ષની રણનિતિ સામે વ્યુહરચના ઘડવામા ભાજપમા સંગઠનનો એક મહત્વનો રોલ હોય છે. જો કે છેલ્લા 6 મહિનાથી સંગઠન એકદમ પેસિવ મોડમા છે. જેને લઇને સરકાર ભીસમા આવી જાય છે . સરકારના પ્રજાલક્ષી નિર્ણયોને ના તો પાયા સ્તર સુધી સંગઠન થકી પહોચડવામા આવી રહ્યા છે ના તો કોંગેેસ દ્વારા કરવામા આવી રહેલા આક્ષેપોનો સંગઠન દ્વારા યોગ્ય જવાબ આપવામા આવી રહ્યો છે.
પ્રદેશ આગેવાનો એક બીજાને ખો આપી રહ્યા છે જેના કારણે ગુજરાતમા સરકારની છબિ ઉપર સવાલ ઉભા થઇ રહ્યા છે. જેની ગંભીર નોધ સીએમ દ્વારા લેવામાં આવી છે અને આ અંગે કેન્દ્રીય નેતૃત્વને પણ વાકેફ કરવામા આવ્યા હોવાની માહિતી મળી રહી છે. છેલ્લા 2 મહિનામા એવા અનેક કિસ્સા બન્યા જેના કારણે સરકાર અને સંગઠન વચ્ચે સંકલનનો અભાવ હોય અથવા તો સંગઠન યેનકેન પ્રકારે સરકાર વિરૂધ્ધના આક્ષેપોમાંથી પોતાને છેડો ફાડતા હોય એમ નજરે પડ્યુ છે. ત્યારે નજર કરીએ એવા કેટલાક કિસ્સાઓ પર જેમાં દેખીતી રીતે આ સંગઠનમાં સંકલનનો અભાવ જોવા મળે છે.
બિન સચિવાલય પરીક્ષામાં થયેલી ગેરરીતી મામલે વિદ્ર્યાર્થીઓએ સરકાર સામે વિદ્યાર્થીઓ એ મોરચો માંડ્યો હતો. જેમા સંગઠન તરફથી કોઇ નક્કર બચાવ ની કામગીરી કરવામાં આવી ન હતી. સમગ્ર ઘટનાને સરકારના 2 મંત્રીઓ દ્વારા જ હેંડલ કરવામાં આવી.
ખેડૂતોમા મુદ્દે કોગ્રેસે આક્રમક વલણ અપનાવ્યુ હતુ ત્યારે પણ સંગઠનના નેતાઓએ સમગ્ર પ્રકરણમા પોતાને બાકાત રાખ્યા હતા. ખેડૂતો માટે જાહેર કરાયેલા રાહત પેકેજ હોય કે ટેકાના ભાવે ખરીદી હોય કે ઓનલાઇન અરજી માટેની વ્યવસ્થા અંગેની જાણકારી જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચે એમા સંગઠનમા ઉણપ જોવા મળી. APMCથી માંડીને તમામ ખરીદ વેચાણ સંઘના ભાજપના કાર્યકર્તાથી માડીન પદાધિકારીઓ છે તેમ છતા સરકાર દ્વારા ગોઠવાયેલા સેટઅપમાં થઇ રહેલી ઉણપ અંગે યોગ્ય સમયે ધ્યાન દોરવામા ના આવ્યું. ચેકપોસ્ટ નાબુદી જેવા મહત્વના નિર્ણયનો પણ સંગઠન દ્વારા યોગ્ય રીતે પ્રચાર કરવામા ના આવ્યો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
અશોક ગેહલોતે જયારે ગુજરાતમા દારૂની રેલમછેલ પર આક્ષેપ કર્યા ત્યારે પણ બચાવમાં ખુદ મુખ્ય પ્રધાને ઉતરવુ પડ્યું. સરકાર સામે એક બાદ એક નવા મોરચા ખુલી રહ્યાં છે. એ પછી બિનસચિવાલય પરીક્ષાના ઉમેદવારો હોય કો એલઆરડીના ઉમેદવારો હોય, મહેસુલ વિભાગ કર્મચારીઓ હોય કે પછી ખેડૂતો.
સંગઠન એક પણ કિસ્સામા મજબૂત ભૂમિકામા જોવા મળ્યુ નથી અને આ તમામ મુદ્દાઓના કારણે સીએમ સંગઠનથી નારાજ છે. સંગઠનને ત્વરીત સક્રીય થવા ટકોર કરી છે. સીએમ દ્વારા પણ કમલમ ખાતે યોજાયેલી બેઠકમા પોતાના સંબોધન દરમિયાન સંગઠનની વર્તમાન કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી તો સીએએના મુદ્દા પર સક્રિય થવાની ટકોર પણ કરવામા આવી હતી.
સીએમએ પોતાની વાત કાર્યકર્તાઓ સમક્ષ મુકતા જણાવ્યુ હતું કે સંગઠને રાજ્ય સરકાર વિરુદ્ધના કેમ્પઈનમાં ત્વરીત સક્રીય થવાની જરૂર છે. સરકારની પ્રજાલક્ષી યોજનાઓ તાલુકા સુધી પહોંચાડવા પણ ટકોર કરી હતી. કમોસમી વરસાદે આ વખતે ખેડતો પર પડતા પર પાટુ માર્યા જેવી પરિસ્થિતિ ઉભી કરી છે ત્યારે સરકાર ખેડૂતો માટે જે પણ મહત્વના નિર્ણયો લીઘા છે સાથે જ ખેડૂતોને સહાય માટે જે વ્યવસ્થા કરી છે તેની જાણકારી વિવિધ માઘ્યમો દ્વારા ખેડૂતોને પહોંચાડવા સુચન કર્યુ છે. આમ તો 370 હોય કે સીએએએ ભાજપની 1925થી વિચારધારા રહી છે પરંતુ જયારે નિર્ણયનો અમલ કરવામા આવ્યો છે ત્યારે સંગઠને ખુલીને સમાજમાં જવા સુચન કર્યુ છે. જો કે સીએમને પદાધિકારીઓ ને સંબોધન કરતા એમ પણ માન્યું છે ગુજરાત ભાજપ સંગઠનએ દેશભરમા સૌથી સશકત સંગઠન છે ત્યારે સંગઠને હવે સક્રિય થવાની જરૂર છે!
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]