જાણો ક્યારે કેટલા સફળ અને નિષ્ફળ રહ્યાં છે Exit Poll

ચૂંટણીના પરિણામો પહેલા અને છેલ્લા તબક્કાના મતદાન પૂર્ણ થયા પછી મીડિયામાં અલગ-અલગ એજન્સીઓની મદદથી એગ્ઝિટ પોલ શરૂ થાય છે. અધિકૃત પરિણામો જાહેર થાય ત્યાં સુધી એગ્ઝિટ પોલના પરિણામોની ચર્ચાઓ કેન્દ્રમાં રહે છે. એગ્ઝિટ પોલનું પરિણામ દરેક વખતે સાચું હોય તેવું હોતું નથી, પહેલાં એવું ઘણીવાર બન્યું છે એગ્ઝિટ પોલ મતદારોના મુડને જાણવામાં નિષ્ફળ રહ્યું હોય. […]

જાણો ક્યારે કેટલા સફળ અને નિષ્ફળ રહ્યાં છે Exit Poll
Follow Us:
| Updated on: May 19, 2019 | 4:07 PM

ચૂંટણીના પરિણામો પહેલા અને છેલ્લા તબક્કાના મતદાન પૂર્ણ થયા પછી મીડિયામાં અલગ-અલગ એજન્સીઓની મદદથી એગ્ઝિટ પોલ શરૂ થાય છે. અધિકૃત પરિણામો જાહેર થાય ત્યાં સુધી એગ્ઝિટ પોલના પરિણામોની ચર્ચાઓ કેન્દ્રમાં રહે છે.

એગ્ઝિટ પોલનું પરિણામ દરેક વખતે સાચું હોય તેવું હોતું નથી, પહેલાં એવું ઘણીવાર બન્યું છે એગ્ઝિટ પોલ મતદારોના મુડને જાણવામાં નિષ્ફળ રહ્યું હોય. અત્યાર સુધી એગ્ઝિટ પોલ ચૂંટણી પરિણામોની એક મોટી તસવીર બનાવે છે પણ ગણતરી પછી આવેલા પરિણામથી તે ખુબ દુર રહી જાય છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

જાણો ક્યારે ક્યારે એગ્ઝિટ પોલના પરિણામો સફળ રહ્યાં અને ક્યારે નિષ્ફળ રહ્યાં. લોકસભા ચૂંટણી 2014 દરમિયાન એગ્ઝિટ પોલની વાત કરીએ તો તે એગ્ઝિટ પોલના પરિણામ થોડા સાચા મળ્યાં હતા. મહત્તમ એગ્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વમાં NDAની સરકાર બનાવવાનું જણાવવામાં આવી રહ્યું હતું. જ્યારે પરિણામ આવ્યા ત્યારે ભાજપને બહુમત મળી હતી અને NDAએ 336 સીટો પર વિજય મેળવ્યો હતો. કોંગ્રેસને 44 સીટો મળી હતી.

2014માં એગ્ઝિટ પોલના અનુમાન

તે જ રીતે 1998માં લોકસભા ચૂંટણી દરમિયાન પણ એગ્ઝિટ પોલના અનુમાન સાચા હતા. ત્યારે બધા જ એગ્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વવાળા ગઠબંધનને 200થી વધારે સીટો અને બહુમતની નજીક ગણાવ્યા હતા. જ્યારે કોંગ્રેસના ગઠબંધનને 200થી ઓછી સીટો મળવાનું અનુમાન લગાવ્યું હતુ. જ્યારે પરિણામ આવ્યા ત્યારે ભાજપ+ને 252 સીટ, કોંગ્રેસ+ને 166 સીટ અને અન્યને 119 સીટો મળી હતી.

1998માં એગ્ઝિટ પોલના અનુમાન

આ પણ વાંચો: શું કેન્દ્રમાં ફરી બનશે મોદી સરકાર કે રાહુલ ગાંધી બનશે વડાપ્રધાન?, જુઓ તમામ એજન્સીઓના એગ્ઝિટ પોલના આંકડાઓ

ગઈ લોકસભા ચૂંટણી દરમિયાન એગ્ઝિટ પોલના અનુમાન સાચા રહ્યાં હતા પણ તેની પહેલા સતત 2 લોકસભા ચૂંટણીમાં એગ્ઝિટ પોલની ભવિષ્યવાણી કરવામાં નિષ્ફળ રહ્યાં હતા. એગ્ઝિટ પોલની નિષ્ફળતા સૌથી વધુ 2004માં થઈ હતી. તે સમયે એગ્ઝિટ પોલમાં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં NDA સરકારને ફરી સત્તામાં આવવાની ભવિષ્યવાણી કરવામાં આવી હતી પણ પરિણામો તેનાથી ઉલટા આવ્યા હતા. NDAને 189 સીટો મળી અને કોંગ્રેસના નેતૃત્વવાળી UPAને 222 સીટો મળી અને ડૉક્ટર મનમોહન સિંહ વડાપ્રધાન બન્યા.

2004માં એગ્ઝિટ પોલના અનમાન

2004 પછી 2009ની ચૂંટણીમાં પણ એગ્ઝિટ પોલ નિષ્ફળ રહ્યાં હતા. મોટા ભાગના એગ્ઝિટ પોલમાં કહ્યું હતું કે UPA NDAએથી આગળ રહેશે પણ એ અનુમાન લગાવ્યું નહોતું કે કોંગ્રેસ એકલી જ 200ની પાર પહોંચી જશે. પરિણામ જાહેર થયા તો કોંગ્રેસને 206 સીટો અને UPAને 262 સીટો મળી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">