‘કોંગ્રેસનો ઝંડો ભૂતકાળ બની જશે’, જાણો CM યોગીએ ગુજરાત આવીને અન્ય ક્યાં મુદ્દા પર વાત કરી?

આજે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ અમદાવાદ ખાતે જનસભા કરવા આવ્યા હતા. ભાજપે ઉમેદવારો જાહેર કર્યા બાદ બહારના કોઈ મોટા નેતા તરીકે પહેલી સભા  યોગી આદિત્યનાથે કરી છે.  યોગી આદિત્યનાથે સભાને સંબોધન કરીને કાશી નગરીનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદીના આવ્યા પછી કાશીની સુરત જ બદલાઈ જવા પામી છે અને તેેને […]

'કોંગ્રેસનો ઝંડો ભૂતકાળ બની જશે', જાણો CM યોગીએ ગુજરાત આવીને અન્ય ક્યાં મુદ્દા પર વાત કરી?
Follow Us:
| Updated on: Mar 26, 2019 | 3:41 PM

આજે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ અમદાવાદ ખાતે જનસભા કરવા આવ્યા હતા. ભાજપે ઉમેદવારો જાહેર કર્યા બાદ બહારના કોઈ મોટા નેતા તરીકે પહેલી સભા  યોગી આદિત્યનાથે કરી છે. 

યોગી આદિત્યનાથે સભાને સંબોધન કરીને કાશી નગરીનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદીના આવ્યા પછી કાશીની સુરત જ બદલાઈ જવા પામી છે અને તેેને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળી છે. તેમણે અમિત શાહની કારકિર્દી વિશેની માહિતી આપતા લોકોને ક્હ્યું કે અમિત શાહ એક સામાન્ય કાર્યકરમાંથી ભાજપમાં રાષ્ટ્રીય અધ્યક્ષના પદ સુધી પહોંચ્યા છે. આ વાતને લઈને તેેમણે કોંગ્રેસ પર પ્રહાર પણ કર્યો હતો કે કોંગ્રેસ પાર્ટીમાં આવી રીતે એક સામાન્ય કાર્યકરની પ્રગતિ શક્ય નથી.

TV9 Gujarati

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

તેમણે અમિત શાહની ઉમેદવારીને ગૌરવપૂર્ણ ગણાવી હતી. વધુમાં તેમણે વંશવાદની રાજનીતીને દેશને નુકસાન કરનારી રાજનીતિ ગણાવી હતી. ગરીબીને લઈને યોગીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરીને કહ્યું કે તેમની આટલી લાંબી સરકારમાં ગરીબી કેમ ન હટી?  વડા પ્રધાન મોદીની જનધન યોજનાનો ઉલ્લેખ પણ યોગી આદિત્યનાથે કર્યો હતો અને અન્ય સરકારની યોજનાની સિદ્ધીઓ યોગી આદિત્યનાથે મંચ પરથી ગણાવી હતી.

યોગી આદિત્યનાથે સરદાર પટેલને સન્માન આપવાની બાબતને લઈને પણ કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી અને કહ્યું કે કોંગ્રેસે ક્યારેય સરદાર પટેલને સન્માન આપ્યું નથી. આ બાબતે વડા પ્રધાને મોદીનું ઉદાહરણ ટાંકીને ભાજપે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને સરદારને સન્માન આપ્યું તેમ પણ કહ્યું હતું.  કોંગ્રેસની સરકારને આતંકવાદની સામે ઝૂકી જનારી સરકાર યોગીએ ગણાવી હતી અને 2004થી 2014 સુધીના કોંગ્રેસના કાળમાં થયેલાં આતંકવાદી હુમલાઓ વિશે પણ યોગી આદિત્યનાથે સભામાં વાત ઉચ્ચારી હતી.

ભાજપે કેવી રીતે આતંકવાદની વિરુદ્ધમાં જંગ છેડી તેને લઈને યોગીએ સર્જિકલ સ્ટ્રાઈકનું ઉદાહરણ આપ્યું હતું.  રાહુલ ગાંધીના મંદિરોની યાત્રાને લઈને યોગી આદિત્યનાથે સવાલ ઉઠાવતા પુછ્યું કે કેમ ચૂંટણીના સમયે જ રાહુલ ગાંધીને મંદિર યાદ આવે છે?. તેમણે એક એવી વાતનો ઉલ્લેખ કરીને કહ્યું કે જ્યારે રાહુલ ગાંધી સોમનાથ મંદિરે દર્શન કરવા આવ્યા ત્યારે નમાજ પઢતા હોય તેવી રીતે બેઠા હતા.

કોંગ્રેસને જુઠ્ઠી ગણાવીને યોગી આદિત્યનાથે પ્રહાર કર્યા કે કોંગ્રેસને ખોટું બોલવાની એવી આદત પડી છે કે જો તે ખોટું ના બોલે તો તેને ઊંઘ પણ ન આવે. સામ પિત્રોડા પર પણ યોગી આદિત્યનાથે પ્રહાર કરીને કહ્યું કે સામ પિત્રોડા દેશ માટે ‘શેમ’ બન્યા છે.  2019ની ચૂંટણીને યોગી આદિત્યનાથે ભારતની ચૂંટણી ગણાવી હતી અને કોઈ જાતિવાદ વિના ભાજપે વિકાસની યોજનાઓ મુકી છે તેવું પણ તેમણે કહ્યું હતું.

ભાજપ જાતિવાદની ઉપર જઈને તમામ લોકો માટે વિચારી રહી છે.  છેલ્લે તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરીને કહ્યું કે આગામી સમયમાં કોંગ્રેસનો ઝંડો માત્ર ભૂતકાળ બનીને રહી જશે અને તે કોઈ મ્યૂઝિયમમાં પણ જોવા નહીં મળે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
g clip-path="url(#clip0_868_265)">