કે એલ રાહુલે ક્હ્યુ, જો મોકો મળશે તો આગામી ત્રણ વર્લ્ડ કપમાં વિકેટકિપીંગ કરીશ
ભારતના સિમીત ઓવરના વાઇસ કેપ્ટન કેએલ રાહુલે કહ્યુ હતુ કે જો મોકો મળશે તો તે આગળના ત્રણ વિશ્વ કપમાં વિકેટકીપીંગ કરવા માંગશે. જોકે તેમના ટીમ પ્રબંધને આ અંગે તેમની સાથએ કોઇ જ વાતચીત કરી નથી. રાહુલ સિમીત ઓવરોવમાં વિશેષજ્ઞ વિકેટ કીપર ઋષભ પંત અને સંજૂ સેમસનના રહેતા ભારતીય ટીમની પ્રથમ પસંદ બન્યો છે. આગળના ત્રણ […]
ભારતના સિમીત ઓવરના વાઇસ કેપ્ટન કેએલ રાહુલે કહ્યુ હતુ કે જો મોકો મળશે તો તે આગળના ત્રણ વિશ્વ કપમાં વિકેટકીપીંગ કરવા માંગશે. જોકે તેમના ટીમ પ્રબંધને આ અંગે તેમની સાથએ કોઇ જ વાતચીત કરી નથી. રાહુલ સિમીત ઓવરોવમાં વિશેષજ્ઞ વિકેટ કીપર ઋષભ પંત અને સંજૂ સેમસનના રહેતા ભારતીય ટીમની પ્રથમ પસંદ બન્યો છે.
આગળના ત્રણ વર્ષ દરમ્યાન બે ટી-20 વિશ્વ કપ અને એક વન-ડે વિશ્વ કપ રમાનાર છે. 28 વર્ષના રાહુલ એ ઓસ્ટ્રેલીયાની સામે 27, નવેમ્બર થી શરુ થઇ રહેલી મર્યાદીત ઓવરમાં સીરીઝ પહેલા જ કહ્યુ છે કે, મારા વિકેટકીપીંગ કરવાને લઇને ટીમ સંયોજનમાં મદદ મળી રહી છે. અને મને પણ તે બહુ પસંદ છે. મોકો મળવા પર ત્રણેય વિશ્વકપ માં વિકેટકીપીંગ કરવા માંગીશ.
એ વાત પૂછવામાં આવી હતી કે ટીમ પ્રબંધને તેને આ અંગે કંઇ વાત કરી છે કે કેમ, તો તેમણે કહ્યુ હતુ કે મને કંઇ જ કહેવામાં નથી આવ્યુ. અમે એક ટીમ ના રુપે આટલુ આગળનુ નથી વિચારી રહ્યા. પરંતુ વિશ્વકપ ખૂબ મહત્વનો હોય છે. પરંતુ દરેક ટીમ અને દેશ ના માટે તે દિર્ધકાલીન રણનીતી હોય છે.
કર્ણાટકના આ સ્ટાઇલીશ બેટ્સમેને કહ્યુ છે કે, હું એક સમય પર એક જ મેચના વિશે વિચારી શકુ છુ. જો હું લગાતાર સારુ પ્રદર્શન કરતો રહીશ તો, અમારી પાસે વધારાના બોલર અને બેટ્સમેન ને ઉતારવાના મોકો મળશે, રાહુલ વન ડે માં પાંચમાં નંબર પર બેટીંગ કરે છે. જ્ચારે ટી-20 માં ઇનીંગનુ ઓપનીંગ કરે છે. તેણે સ્વિકાર કર્યો હતો કે બેટીંગ ક્રમમાં તેમનુ સ્થાન ફોર્મેટ પર નિર્ભર કરતા હોય છે. તેમણે એ પણ કહ્યુ હતુ કે, ટીમ મારાથી શુ ચાહે છે અને કયુ ટીમ સંયોજન સારુ રહેશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો