કેરીના પાક પર વાવાઝોડાએ ફેરવ્યું પાણી
નિસર્ગ વાવાઝોડાના કારણે ગીરસોમનાથના તાલાલા પંથકમાં કેસર કેરીના પાકને મોટું નુક્શાન પહોચ્યું છે. એક તરફ કેસર કેરી ઉતારવાની શરૂઆત થઈ ગઈ હતી તેવા જ સમયે ત્રાટકેલા પવન સાથેના વરસાદે કેરીને જમીન પર પાડી દીધી હતી તો પેક કરવાના બોક્સ પણ પલળી ગયા હતા. આ વર્ષે કેરીના પાકને પહેલેથી જ નુક્શાની હતી તેવા સમયે હવે વાવાઝોડા […]
નિસર્ગ વાવાઝોડાના કારણે ગીરસોમનાથના તાલાલા પંથકમાં કેસર કેરીના પાકને મોટું નુક્શાન પહોચ્યું છે. એક તરફ કેસર કેરી ઉતારવાની શરૂઆત થઈ ગઈ હતી તેવા જ સમયે ત્રાટકેલા પવન સાથેના વરસાદે કેરીને જમીન પર પાડી દીધી હતી તો પેક કરવાના બોક્સ પણ પલળી ગયા હતા. આ વર્ષે કેરીના પાકને પહેલેથી જ નુક્શાની હતી તેવા સમયે હવે વાવાઝોડા નિસર્ગે ખેડુતોની મહેનત અને આશા બેવ પર પાણી ફેરવી નાખ્યું છે. હાલમાં પાણી વધારે પડી જવાના કારણે કેસર કેરી ખરાબ થઈ ગઈ છે જેને લઈને માર્કેટમાં કેસર કેરી સાવ ઓછી જોવા મળી શકે છે.