દિલ્હીમાં વેપારીઓના મત માગવા કેજરીવાલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન, દેશમાં TAX TERRORISM ચાલી રહ્યો છે, PM મોદી પર લગાવ્યા ગંભીર આરોપ
દિલ્હીમાં 12 તારીખે તમામ 7 બેઠક માટે મતદાન પહેલા કેજરીવાલે પત્રકાર પરિષદ દ્વારા વેપારીઓ પાસે માગ્યા મત, કહ્યું હું જીત્યો તો અંતિમ શ્વાસ સુધી તમારી સાથે રહીશ Till my last breath I will keep working for businessmen : #Delhi CM @ArvindKejriwal https://t.co/xUE47kshxb — Tv9 Gujarati (@tv9gujarati) May 6, 2019 Web Stories View more અવનીત કૌરના […]
દિલ્હીમાં 12 તારીખે તમામ 7 બેઠક માટે મતદાન પહેલા કેજરીવાલે પત્રકાર પરિષદ દ્વારા વેપારીઓ પાસે માગ્યા મત, કહ્યું હું જીત્યો તો અંતિમ શ્વાસ સુધી તમારી સાથે રહીશ
Till my last breath I will keep working for businessmen : #Delhi CM @ArvindKejriwal https://t.co/xUE47kshxb
— Tv9 Gujarati (@tv9gujarati) May 6, 2019
દિલ્હીમાં વેપારીઓ પાસે મત માગવા માટે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. દેશમાં લગભગ પહેલી વખત કોઈ નેતાએ પત્રકાર પરિષદનું આયોજન દ્વારા લોકો પાસે મત માગ્યા હશે. કેજરીવાલની આ પત્રકાર પરિષદ તેને આપેલા એક શબ્દની સાથે ચર્ચામાં પણ આવી ગઈ છે. કેજરીવાલે કહ્યું કે દેશમાં તમામ નાના-મોટા વેપારીઓના ઠેકાણે IT અને EDના દરોડા પડી રહ્યા છે. સાથે કહ્યું કે મોદીના શાસનમાં દેશમાં TAX TERRORISM ચાલી રહ્યું છે. કેજરીવાલે આક્ષેપ કરતા કહ્યું કે એક તરફ PM મોદી કહી રહ્યા છે કે તેઓ ઘરમા ઘૂસીને આતંકીઓને મારશે પણ તેમ છતાં પાકિસ્તાનની ઈચ્છા છે કે મોદીજી ફરી એક વખત દેશના PM બનવા જોઈએ. એટલે લાગી રહ્યું છે કે મોદીના પાકિસ્તાન સાથે સિક્રેટ સંબંધો છે.
PM @narendramodi Modi having secret relation with Pakistan : Delhi CM @ArvindKejriwal while addressing press conference pic.twitter.com/EF2L2Pu0KQ
— Tv9 Gujarati (@tv9gujarati) May 6, 2019
માત્ર એટલું જ નહીં પણ વેપારીઓને અપીલ કરતા કહ્યું કે દિલ્હીની તમામ 7 બેઠક પર આમ આદમી પાર્ટીને જીત અપાવશો તો હું મારા જીવનના અંતિમ શ્વાસ સુધી વેપારીઓની તમામ લડતમાં સાથે રહીશે. ખાસ તો કેજરીવાલે દિલ્હીમાં ચાલી રહેલી દુકાનોની સિલિંગને લઈ વેપારીઓને રીજવવાની કોશિશ કરી હતી. કેજરીવાલે કહ્યું કે જો અમે કેન્દ્રમાં મજબૂત બનીશું તો સિલિંગની પ્રક્રિયાને રોકવાની પુરી કોશિશ કરીશું.
નોટબંધીની વાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે દેશમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર નોટબંધી થયો છે. તો રાફેલનો મુદ્દો પણ હાઈજેક કરતા કહ્યું કે રાફેલ ડીલમાંથી મોદીજીએ જે રૂપિયાની કમાણી કરી છે તેના દ્વારા તે ધારસભ્યોની ખરીદી કરી રહ્યા છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]