કારગિલ યુદ્ધના ‘હિરો’ મિગ-27ની અંતિમ ઉડાન, જોધપુર એરબેઝથી ભરશે ઉડાન
કારગિલ યુદ્ધમાં ભારત માટે બ્રહ્માસ્ત્ર સાબિત થનારું ફાઈટર એરક્રાફ્ટ મિગ-27 હવે ઈતિહાસ બનવા જઈ રહ્યું છે. ભારતીય વાયુસેનાના આ ફાઈટર પ્લેને 1999માં થયેલા કારગિલ યુદ્ધમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. જેને કારણે પાયલટ આને ‘બહાદુર’ નામથી બોલાવે છે. #AdieuMiG27 तीन दशक से अधिक की उल्लेखनीय सेवा के बाद, भारतीय वायु सेना का मिग-27 लड़ाकू विमान कल […]
કારગિલ યુદ્ધમાં ભારત માટે બ્રહ્માસ્ત્ર સાબિત થનારું ફાઈટર એરક્રાફ્ટ મિગ-27 હવે ઈતિહાસ બનવા જઈ રહ્યું છે. ભારતીય વાયુસેનાના આ ફાઈટર પ્લેને 1999માં થયેલા કારગિલ યુદ્ધમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. જેને કારણે પાયલટ આને ‘બહાદુર’ નામથી બોલાવે છે.
#AdieuMiG27 तीन दशक से अधिक की उल्लेखनीय सेवा के बाद, भारतीय वायु सेना का मिग-27 लड़ाकू विमान कल वायु सेना स्टेशन, जोधपुर से एक भव्य समारोह में डीकमीशन किया जा रहा है। pic.twitter.com/qRWaICjej4
— Indian Air Force (@IAF_MCC) December 26, 2019
આજે મિગ-27નું સ્કોડ્રન જોધપુર એરબેઝથી છેલ્લી વાર ઉડશે. 7 પ્લેન આજે જ રિટાયર થઈ જશે. ત્યારબાદ આ પ્લેન દેશમાં ક્યાંય પણ ઉડી શકશે નહી. જોધપુરમાં ઉપસ્થિત મિગ-27નું સ્કોડ્રન જ અંતિમ સ્કોડ્રન છે. જોધપુર એરબેઝથી રિટાયર થતાં જ મિગ-27 માત્ર ભારતનો ઈતિહાસ બની જશે, પરંતુ આખી દુનિયામાં આ જ તેનું અંતિમ ફ્લાય હશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તેનું કારણ એ છે કે હવે કોઈપણ દેશ મિગ-27નો ઉપયોગ કરતો નથી. સામાન્ય રીતે આ પ્રકારના વિમાનો અથવા હથિયારોને રિટાયર્ડ થયા બાદ અથવા તો સ્મારક તરીકે રાખી દેવામાં આવે છે અથવા તો બેઝ કે પછી ડેપોને આપી દેવામાં આવે છે.
ઘણીવાર રિટાયર થઈ રહેલા વિમાનોને મિત્ર દેશોને પણ આપી દેવામાં આવે છે. જોધપુર એરબેઝમાં મિગ-27ના બે સ્કોડ્રન હતા, જેમાં એક આ વર્ષે રિટાયર થઈ ચૂક્યું છે અને આ છેલ્લું સ્કોડ્રન છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]