કારગિલમાં આ જવાન સાથે 22 દિવસ સુધી પાકિસ્તાની બર્બરતા સામે હિંમત ન હારનારા વીરની કહાની
હિમાચલ પ્રદેશના પાલમપુરના રહેવાસી કેપ્ટન સૌરભ કાલિયા ભારતીય સેનાના તે બહાદુર ઓફિસર હતા, તેમની કહાણી વગર કારગિલ યુદ્ધની કહાની અધુરી છે. યુદ્ધમાં તેમની અવિશ્વસનીય હિંમત અને બહાદુરીનું ઉદાહરણ જાળવી રાખ્યું. ઓગસ્ટ 1997માં સંયૂક્ત રક્ષા સેવા પરીક્ષા દ્વારા સૌરભ કાલિયાની પસંદગી ભારતીય સૈન્ય અકાદમીમાં થઈ અને 12 ડિસેમ્બર 1998માં તેમની ભારતીય સેનામાં કમીશન અધિકારી તરીકે નિમણુક […]
હિમાચલ પ્રદેશના પાલમપુરના રહેવાસી કેપ્ટન સૌરભ કાલિયા ભારતીય સેનાના તે બહાદુર ઓફિસર હતા, તેમની કહાણી વગર કારગિલ યુદ્ધની કહાની અધુરી છે. યુદ્ધમાં તેમની અવિશ્વસનીય હિંમત અને બહાદુરીનું ઉદાહરણ જાળવી રાખ્યું.
ઓગસ્ટ 1997માં સંયૂક્ત રક્ષા સેવા પરીક્ષા દ્વારા સૌરભ કાલિયાની પસંદગી ભારતીય સૈન્ય અકાદમીમાં થઈ અને 12 ડિસેમ્બર 1998માં તેમની ભારતીય સેનામાં કમીશન અધિકારી તરીકે નિમણુક થઈ. તેમનું પ્રથમ પોસ્ટિંગ 4 જાટ રેજિમેન્ટની સાથે કારગિલ સેક્ટરમાં થઈ. 31 ડિસેમ્બર 1998ના રોજ જાટ રેજિમેન્ટલ સેન્ટર બરેલીમાં પહોંચ્યા પછી તે જાન્યુઆરી 1999માં કારગિલ પહોંચ્યા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મે મહિનાના બે અઠવાડિયા પસાર થઈ ગયા હતા પણ ઘુસણખોરોને લઈને માત્ર આંકલન કરી રહ્યા હતા. ત્યારે કારગિલની નજીક કાકસરની બજરંગ પોસ્ટ પર તૈનાત 4 જાટ રેજિમેન્ટના કેપ્ટન સૌરભ કાલિયાને તેમના 5 સાથીઓ અર્જૂન રામ, ભંવર લાલ, ભીખા રામ, મૂલા રામ અને નરેશ સિંહને સાથે મોકલવામાં આવ્યા, જેથી સમગ્ર સ્થિતીની સાચી માહિતી મેળવી શકાય.
તેની વચ્ચે જ 15 મેના રોજ ગુપ્ત માહિતી મળી કે પાકિસ્તાની ઘુસણખોરો ભારતીય સીમા તરફ આવી રહ્યા છે. પહેલા તો સૌરભને લાગ્યુ કે તેમને મળેલો ઈનપુટ ખોટો હોય શકે છે. ત્યારબાદ તે ઝડપથી દુશ્મનની તરફ આગળ વધ્યા, ત્યારે તેમની પર હુમલો કરી દીધો. તેની પર સૌરભે સ્થિતીને સમજીને પોઝીશન લઈ લીધી. જ્યારે દુશ્મન પુરી તૈયારી સાથે બેઠા હતા. તે છતાં સૌરભનો વિશ્વાસ બધા જ હથિયારો પર ભારે પડી રહ્યો હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
તેમને સૌથી પહેલા દુશ્મનની સૂચના તેમના અધિકારીઓને આપી. ત્યારબાદ તેમની ટીમની સાથે નક્કી કર્યુ કે તે છેલ્લા શ્વાસ સુધી દુશ્મનનો સામનો કરશે. યુદ્ધમાં સૌરભ અને તેમના સાથીઓ એટલા ઈજાગ્રસ્ત થઈ ગયા હતા પણ તેમને હાર માની નહી.
આ પણ વાંચો: VIDEO: આણંદમાં અમૂલ ડેરીની યોજાયેલી ચૂંટણીમાં ચેરમેન પદે રામસિંહ પરમારની વરણી
દુશ્મન હતાશ થઈ ગયા હતા, જેથી તેમને પાછળથી હુમલો કરવાની યોજના બનાવી. તેમાં તે સફળ રહ્યા. દુશ્મને તેમને અને પુરી ટીમને ચારે બાજુથી ઘેરી લીધા હતા. ઈજા થવાને લીધે તેમને કેદ કરવામાં આવ્યા હતા. દુશ્મન સૌરભ અને તેમના સાથીઓની સાથે ભારતીય સેનાની ગુપ્ત જાણકારી જાણવા ઈચ્છતા હતા. તેથી લગભગ 22 દિવસ સુધી તેમને કસ્ટડીમાં રાખ્યા. દુશ્મનોના લાખ પ્રયત્નો છતાં પણ સૌરભે કોઈ જાણકારી આપી નહતી. તેથી તેમને ત્રાસ આપવામાં આવ્યો હતો.
[yop_poll id=”1″]
આંતરરાષ્ટ્રીય કાયદાને તોડીને સૌરભ કાલિયાના કાનમાં ગરમ લોખંડના સળીયાથી ડામ આપવામાં આવ્યા હતા. તેમની આંખો કાઢી નાખવામાં આવી હતી, તેમના હાડકા પણ તોડી નાખ્યા હતા. અન્ય ઘણી રીતે પણ તેમને હેરાન કરવામાં આવ્યા હતા પણ સૌરભે તેમની હિંમત તુટી નહી અને છેલ્લે તેમને સર્વોચ્ચ બલિદાન આપ્યું.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]