કન્હૈયા લાલના બંને પુત્રોને મળી નોકરી, પિતાની તસવીરને નમન કરીને નવી ઈનિંગની શરૂઆત, કહ્યું હત્યારાઓને ફાંસી થવી જોઈએ

Udaipur Murder: તરુણ સાહુએ રાજસ્થાન સરકાર દ્વારા આપવામાં આવેલી નોકરી બદલ આભાર વ્યક્ત કર્યો છે. સાથે જ કહ્યુ છે કે તેમના પિતાના હત્યા કેસમાં NIA દ્વારા ચાલી રહેલી તપાસથી તેઓ સંપૂર્ણ સંતુષ્ટ છે. બસ ગુનેગારોને વહેલી તકે ફાંસીની સજા મળે તેની રાહ જોવાઈ રહી છે.

કન્હૈયા લાલના બંને પુત્રોને મળી નોકરી, પિતાની તસવીરને નમન કરીને નવી ઈનિંગની શરૂઆત, કહ્યું હત્યારાઓને ફાંસી થવી જોઈએ
કન્હૈયાલાલના બંને પુત્રોને મળી સરકારી નોકરીImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2022 | 5:09 PM

28 જૂને ઉદયપુરમાં કન્હૈયાલાલ સાહુની હત્યા (Udaipur Murder) બાદ રાજસ્થાનની અશોક ગેહલોત (Ashok Gehlot) સરકારે પરિવાર પ્રત્યે સંવેદનશીલતા દાખવતા બંને પુત્રોને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી હતી. કન્હૈયાલાલ (Kanhaiya Lal)ની નિર્મમ હત્યા બાદ તેમના બંને પુત્રોએ 22 જુલાઈએ એટલે કે આજે સવારે જુનિયર આસિસ્ટન્ટ ટ્રેઝરી ઓફિસરના પદ પર નિયુક્ત કરાયા છે. કન્હૈયાના મોટા પુત્ર તરુણને જુનિયર આસિસ્ટન્ટ ટ્રેઝરી ઓફિસર (શહેર) અને નાના પુત્ર યશ સાહુને જુનિયર આસિસ્ટન્ટ ટ્રેઝરી ઓફિસર (ગ્રામીણ)માં પોસ્ટિંગ મળી છે.

તરુણે જણાવ્યું કે આજે સવારે સૌ પ્રથમ પિતાની તસવીર સામે માથું નમાવી આશીર્વાદ લીધા અને ત્યારબાદ માતાએ તેને ઈમાનદારી અને નિષ્ઠાપૂર્વક કામ કરવાની સલાહ આપતા નોકરી માટે આશિર્વાદ આપ્યા હતા. માતા-પિતાના આશીર્વાદ લઈ બંને પુત્રોએ નોકરી પર હાજર થયા હતા.

નોકરી બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો

તરુણ સાહુએ રાજસ્થાન સરકાર દ્વારા આપવામાં આવેલી નોકરી બદલ આભાર વ્યક્ત કર્યો છે. સાથે એ પણ કહ્યું કે પિતાના હત્યા કેસમાં NIA દ્વારા ચાલી રહેલી તપાસથી તેઓ સંપૂર્ણ સંતુષ્ટ છે. બસ ગુનેગારોને વહેલમાં વહેલી તકે ફાંસીની સજા મળે તેની રાહ જોઈ રહ્યા છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

મુખ્યમંત્રી અશોક ગેહલોતે ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા બાદ પીડિત પરિવારને તેમના ઘરે જઈને સાંત્વના પાઠવી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ તેમના પુત્રો યશ અને તરુણને સાંત્વના પાઠવી હતી અને કહ્યું હતું કે આ દુ:ખની ઘડીમાં સરકાર તેમની સાથે છે.

કેબિનેટની બેઠકમાં નોકરી આપવાનો નિર્ણય

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં કન્હૈયાલાલના પુત્રોને સરકારી નોકરી અપાવવામાં નિયમોમાં ફેરફાર કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મંત્રીમંડળની બેઠક બાદ મંત્રી મમતા ભૂપેશે જણાવ્યુ હતુ કે બેઠકમાં ઉદયપુરની આતંકી ઘટનામાં મૃતક કન્હૈયાલાલના પુત્રો યશ અને તરુણની રાજકીય સેવામાં નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નૂપુર શર્મા વિવાદમાં કરાઈ હતી હત્યા

આપને જણાવી દઈએ નૂપુર શર્માના પયગંબર મોહમ્મદ પરના વિવાદી નિવેદન બાદ દેશભરમાં વિરોધનું વાતાવરણ ઉભુ થયુ હતુ. જેમા કેટલાક સ્થળોએ હિંસાના બનાવો પણ સામે આવ્યા હતા. તેમા નૂપુર શર્માનુ સમર્થન કરતી પોસ્ટ ફેસબુક પર ભૂલથી પોસ્ટ થઈ જતા ઉદયપુરના દરજીનું કામ કરતા કન્હૈયાલાલની બે નરાધમોએ ગળુ કાપીને નિર્મમ હત્યા કરી નાખી હતી જેના પડઘા દેશભરમાં પડ્યા હતા.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">