અયોધ્યા વિવાદ પર આવી રહી છે ફિલ્મ, આ હીરોઈન કરશે અભિનય
અયોધ્યાનો મુદોએ ભારતીય રાજનીતિનો એક મોટો મુદો ગણવામાં આવતો હતો. 2019ના વર્ષમાં જ તેનો અંત આવી ગયો છે અને સુપ્રિમ કોર્ટે આ કેસનું અંતિમ નિવારણ લાવી આપ્યું છે. બોલીવુડમાં આ કેસને લઈને એક અભિનેત્રી ફિલ્મ બનાવવા માગે છે તેનું નામ છે કંગના રનૌત. કંગનાએ પોતાના પ્રોડક્શન હાઉસની પહેલી ફિલ્મ તરીકે અયોધ્યા વિવાદના મુદાને પસંદ કર્યો […]
અયોધ્યાનો મુદોએ ભારતીય રાજનીતિનો એક મોટો મુદો ગણવામાં આવતો હતો. 2019ના વર્ષમાં જ તેનો અંત આવી ગયો છે અને સુપ્રિમ કોર્ટે આ કેસનું અંતિમ નિવારણ લાવી આપ્યું છે. બોલીવુડમાં આ કેસને લઈને એક અભિનેત્રી ફિલ્મ બનાવવા માગે છે તેનું નામ છે કંગના રનૌત. કંગનાએ પોતાના પ્રોડક્શન હાઉસની પહેલી ફિલ્મ તરીકે અયોધ્યા વિવાદના મુદાને પસંદ કર્યો છે. આ કેસ પર તે ફિલ્મ બનાવવા જઈ રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ઉપમુખ્યમંત્રી અજીત પવાર વિરુદ્ધ સિંચાઈ કૌભાંડનો કેસ બંધ કરવામાં આવ્યો!
ઉલ્લેખનીય છે કે કંગના રનૌતએ મણિકર્ણિકા નામની ફિલ્મમાં ડાયરેક્શન કર્યું હતું. હવે તેઓ પ્રોડક્શનમાં પણ ઝંપલાવી રહ્યાં છે અને તેઓએ પોતાના પ્રોડક્શન હાઉસનું નામ પણ મણિકર્ણિકા રાખી દીધું છે. જે ફિલ્મ અયોધ્યા પર તેઓ બનાવવા જઈ રહ્યાં છે તેનું નામ ‘અપરાજિત અયોધ્યા’ રાખવામાં આવ્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો