મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથ ઉપર ભડક્યા જ્યોતિરાદિત્યસિંહ, કહ્યુ હા, હુ પ્રજાનો કુતરો છુ
મધ્યપ્રદેશમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ રહી છે. પેટાચૂંટણીના પ્રચારના અંતિમ કલાકોમાં રાજકીય નેતાઓએ તેમના પ્રચારમાં શાબ્દિક સ્તર ગુમાવ્યું છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથે, કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા રાજ્યસભાના સાંસદ જ્યોતિરાદિત્યસિંહને ચૂંટણી પ્રચાર દરમિયાન કુતરો કહ્યો હતો. જેનો જવાબ આપતા જ્યોતિરાદિત્યસિંહે પ્રચાર દરમિયાન જાહેરસભામાં કહ્યું હતુ કે, પોતે જનતાના કુતરા છે. કુતરાના માલિક પ્રજા છે. કુતરો માલિકની […]
મધ્યપ્રદેશમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ રહી છે. પેટાચૂંટણીના પ્રચારના અંતિમ કલાકોમાં રાજકીય નેતાઓએ તેમના પ્રચારમાં શાબ્દિક સ્તર ગુમાવ્યું છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથે, કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા રાજ્યસભાના સાંસદ જ્યોતિરાદિત્યસિંહને ચૂંટણી પ્રચાર દરમિયાન કુતરો કહ્યો હતો. જેનો જવાબ આપતા જ્યોતિરાદિત્યસિંહે પ્રચાર દરમિયાન જાહેરસભામાં કહ્યું હતુ કે, પોતે જનતાના કુતરા છે. કુતરાના માલિક પ્રજા છે. કુતરો માલિકની રક્ષા કરે છે. મારા માલિકની સેવા કરી રહ્યો છુ. પ્રજારૂપી માલિક સામે આગળી બતાવશો તે કુતરો આગળી કરડી ખાશે.
આ પણ વાંચોઃ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણીના આજે સાંજથી પ્રચારના પડધમ થશે શાંત
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો