નારાજગી? MPમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના પીએમ મોદી અને અમિત શાહની સાથે લાગ્યા પોસ્ટર
જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ભાજપની તરફથી કોંગ્રેસના જાણીતા નેતા જ્યોતિરાદિત્યા સિંધિયાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં સિંધિયા પીએમ મોદી અને અમિત શાહની સાથે જોવા મળી રહ્યાં છે. આ પોસ્ટર ભાજપના ભિંડ જિલ્લા કો-ઓર્ડિનેટર દ્વારા લગાવવામાં આવ્યું છે. આ પોસ્ટર બાબતે કોંગ્રેસ કે સિંધિયા તરફથી કોઈ ખૂલાસો કરવામાં આવ્યો નથી. આ પણ વાંચો […]
જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ભાજપની તરફથી કોંગ્રેસના જાણીતા નેતા જ્યોતિરાદિત્યા સિંધિયાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં સિંધિયા પીએમ મોદી અને અમિત શાહની સાથે જોવા મળી રહ્યાં છે. આ પોસ્ટર ભાજપના ભિંડ જિલ્લા કો-ઓર્ડિનેટર દ્વારા લગાવવામાં આવ્યું છે. આ પોસ્ટર બાબતે કોંગ્રેસ કે સિંધિયા તરફથી કોઈ ખૂલાસો કરવામાં આવ્યો નથી.
સિંધિયાના તેવર ઘણી વખત કમલનાથ સરકારને લઈને બદલાયા છે. જાહેરમાં પણ તેઓ કમલનાથ સરકારની વિરુદ્ઘમાં બોલતા નજરે પડ્યા છે. તેઓએ કમલનાથ સરકાર પર ખેડૂતોની દેવામાફી યોગ્ય રીતે ન કરવાનો પણ આરોપ લગાવ્યો છે. તેઓએ કહ્યું કે અમે બે લાખ રુપિયાનું દેવુ માફ કરવાની વાત કરી હતી પણ 50 હજાર રુપિયા જ માફ કરવામાં આવ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જ્યોતિરાદિત્ય સિંધિયા ઘણાં દિવસોથી નેતાઓ સાથે મળી રહ્યાં છે અને તેઓએ કોંગ્રેસને આત્મચિંતન કરવાની સલાહ આપી હતી. તેઓ પોતાનો સમર્થકોને તો મળે છે પણ પોતાના વિરોધીઓને પણ મળવાનું ચૂકતા નથી. અનુચ્છેદ 370 હટ્યા બાદ કોંગ્રેસના સંસદમાં વિરોદ બાદ પણ તેઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી ભાજપ સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો. હવે ભાજપની તરફથી લાગેલા પોસ્ટર્સથી રાજનીતિ ગરમાઈ છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]