અંબાજીના મોહનથાળના પ્રસાદનું છે મહત્ત્વ, જાણો કેવી રીતે તૈયાર થાય છે પ્રસાદ?
અંબાજીમાં નવરાત્રીની ઉજવણી ધૂમધામથી કરવામાં આવે છે. અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદ અંગે એક અનોખી વાત છે જેની તમને કદાચ ખબર નહીં હોય. અંબાજીમાં પ્રસાદરૂપે અપાતા મોહનથાળનું વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે દર બે દિવસે 240 કિલોથી વધુ પ્રસાદ અહીં બનાવવામાં આવે છે. આ પ્રસાદ બનાવનારા રસોઈયા તેમાંથી એક પ્રસાદની ચાખતા નથી છતાં પણ […]
અંબાજીમાં નવરાત્રીની ઉજવણી ધૂમધામથી કરવામાં આવે છે. અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદ અંગે એક અનોખી વાત છે જેની તમને કદાચ ખબર નહીં હોય. અંબાજીમાં પ્રસાદરૂપે અપાતા મોહનથાળનું વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે દર બે દિવસે 240 કિલોથી વધુ પ્રસાદ અહીં બનાવવામાં આવે છે. આ પ્રસાદ બનાવનારા રસોઈયા તેમાંથી એક પ્રસાદની ચાખતા નથી છતાં પણ સ્વાદમાં કોઈ જ ફેરફાર નોંધાયો નથી.
આ પણ વાંચો : ચેતી જજો! વિદેશમાં નોકરી નામે 11 લાખની છેતરપિંડી કરી, નોંધાઈ પોલીસ ફરિયાદ
મોહનથાળનો પ્રસાદ ગેસ પર બનાવવામાં આવતો નથી. સવારમાં 5 વાગ્યે જાગીને રસોઈયાઓ પ્રસાદ બનાવવાની શરુઆત કરે છે. આ પ્રસાદ લાકડાને સળગાવીને તૈયાર કરવામાં આવે છે. આમ અલગ જ સ્વાદ જળવાઈ રહે છે.
રસોઇઓ મોહનથાળની પ્રસાદ બનાવવા માટે સૌથી પહેલાં લાકડાંને શુદ્ધની આહૂતિ આપે છે. ચૂલો પણ દિવાસળીથી નહીં દીવાની જ્યોતથી પ્રગટાવાય છે. 25 વર્ષથી 3 બ્રાહ્મણ રસોઇયા જ પ્રસાદી તૈયાર કરે છે. ત્રણ-ચાર કલાકમાં તો 240 કિલો પ્રસાદ તૈયાર કરી દેવાઈ છે. આ પ્રસાદને તેઓ એવી રીતે તૈયાર કરે છે ચાખવાની જરુર પડતી નથી અને સ્વાદ તેનો એવો જ જળવાઈ રહે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
પ્રસાદ બનાવ્યા પછી તેનો ભોગ માતાજીને ધરાવવામાં આવે છે. સોનાની થાળીમાં આ ભોગ ધરાવ્યા બાદ ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. પ્રસાદ માટે ચણાના લોટની જરુર પડે છે તે પાલનપુરથી મગાવવામાં આવે છે. પ્રસાદનો ભોગ માતાજીને સોનાની થાળીમાં ધરાવવામાં આવે છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]