જામનગરનાં સામુહિક દુષ્કર્મનાં ગુનામાં ચોથા આરોપીની પણ ધરપકડ, ભાંગી પડેલા પરિવારે પોલીસ અને સરકાર પાસે ન્યાયની માગ કરી
ઉત્તરપ્રદેશના હાથરસની સામુહિક દુષ્કર્મની ઘટના હજુ તાજી છે ત્યાં ગાંધીના ગુજરાતને કલંકિત કરતી સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જામનગરમાં ઊંધની દવા પિવડાવી ચાર આરોપીઓએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે તમામ ચાર આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે. સગીરા ગત્ત 28મી સપ્ટેમ્બરના રોજ દવા લેવા માટે ઘરની બહાર નીકળી હતી તે સમયે ચાર નરાધમોએ […]
ઉત્તરપ્રદેશના હાથરસની સામુહિક દુષ્કર્મની ઘટના હજુ તાજી છે ત્યાં ગાંધીના ગુજરાતને કલંકિત કરતી સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જામનગરમાં ઊંધની દવા પિવડાવી ચાર આરોપીઓએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે તમામ ચાર આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે. સગીરા ગત્ત 28મી સપ્ટેમ્બરના રોજ દવા લેવા માટે ઘરની બહાર નીકળી હતી તે સમયે ચાર નરાધમોએ તેને પકડીને બેભાન કરીને સામુહિક દુષ્કર્મ આચર્યું જોકે સામુહિક દુષ્કર્મ આચર્યા બાદ નરાધમોએ સગીરાના નાના ભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપીને કોઇને જાણ ન કરવા કહ્યું હતું. સગીરા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જોકે ઘટના બાદ ભાંગી પડેલા પરિવારે પોલીસ અને સરકાર સમક્ષ ન્યાયની ભીખ માગી છે અને નરાધમો સામે કડકમાં કડક કાર્યવાહીની માગ કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો