કાશ્મીરમાં સેના જવાનના અપહરણ થવાની વાત પર રક્ષા મંત્રાલયે કરી સ્પષ્ટતા,’કોઇ જવાનનું અપહરણ થયું નથી’
જમ્મુ કાશ્મીર બડગામમાં ભારતીય સેનાનું અપહરણ થયા હોવાની વાત પર રક્ષા મંત્રાલય દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, JAKLI યુનિટના એક જવાનને બડગામના કાજપુરા ચડૂરામાં તેના ઘરેથી જ આતંકીઓએ અપહરણ કર્યું હોવાના સમાચાર આવ્યા હતા. મોહમ્મદ યાસીન નામનો જવાન હાલમાં પોતાના યુનિટ પર પરત ફર્યો છે. તે હાલમાં જમ્મુ કાશ્મીર લાઇટ ફન્ફ્રેન્ટ્રી યુનિટમાં […]
જમ્મુ કાશ્મીર બડગામમાં ભારતીય સેનાનું અપહરણ થયા હોવાની વાત પર રક્ષા મંત્રાલય દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, JAKLI યુનિટના એક જવાનને બડગામના કાજપુરા ચડૂરામાં તેના ઘરેથી જ આતંકીઓએ અપહરણ કર્યું હોવાના સમાચાર આવ્યા હતા. મોહમ્મદ યાસીન નામનો જવાન હાલમાં પોતાના યુનિટ પર પરત ફર્યો છે. તે હાલમાં જમ્મુ કાશ્મીર લાઇટ ફન્ફ્રેન્ટ્રી યુનિટમાં ફરજ બજાવી રહ્યો છે.
આ પણ વાંચો : કરોડોનું બેન્ક કૌભાંડ કરનાર નીરવ મોદી પહેલી વખત લંડનના રસ્તા પર ફરતો જોવા મળ્યો, હજી પણ જીવી રહ્યો છે ‘આલિશન જીવન’
રક્ષા મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, આ જવાનના અપહરણ થવાના સમાચાર ખોટાં છે. ટ્વિટર પર રક્ષા મંત્રાલયે જણાવ્યું કે, સેનામાં કામ કરી રહેલાં જવાન પોતાની રજા દરમિયાન બડગામના કાજીપુરાથી અપહરણ થવાના મીડિયા રિપોર્ટ ખોટાં છે. આ વ્યક્તિ સુરક્ષિત છે.
Clarification. Media reports of the abduction of a serving Army soldier on leave from Qazipora, Chadoora, Budgam are incorrect. Individual is safe. Speculations may please be avoided.@PMOIndia @nsitharaman @DefenceMinIndia @PIB_India @adgpi
— ADG (M&C) DPR (@SpokespersonMoD) March 9, 2019
છેલ્લા થોડાં સમયથી આતંકીઓ રજા માટે ઘરે પહોંચી રહેલાં જવાનોને હંમેશા ટાર્ગેટ બનાવતું રહે છે. જો કે આ પાછળનું કારણ એ પણ છે કે, ભારતીય સેના દ્વારા ચલાવવામાં આવી રહેલી ઓપરેશન ઓલઆઉટના કારણે આતંકવાદીઓમાં ભયનો માહોલ છે.
Defence Ministry: Media reports of the abduction of a serving Army soldier(Mohammad Yaseen) on leave from Qazipora, Chadoora, Budgam(J&K) are incorrect. Individual is safe. Speculations may please be avoided.#TV9News
— Tv9 Gujarati (@tv9gujarati) March 9, 2019
શુક્રવાર મોડી રાત્રે સમાચાર આવ્યા હતા કે સેનાના એક 27 વર્ષના મોહમ્મદ યાસીને ચાર અજ્ઞાત બંદૂકધારીઓએ તેમના ઘરેથી અપહરણ કરી લીધા હતા. આપને જણાવી દઇએ કે બડગામ જિલ્લા આતંક પ્રભાવિત વિસ્તાર ક્ષેત્રોમાંથી એક મનાય છે. કહેવાય છે કે શનિવારના રોજ સવારે પાંચ વાગ્યે યાસીન જમ્મુ-કાશ્મીર લાઇટ ઇંફ્રેન્ટીના રેજિમેન્ટલ સેન્ટર પર પહોંચ્યા.
થોડાં સમય પહેલાં આતંકીઓએ સેના જવાન ઓરંગઝેબનું પણ અપહરણ કર્યું હતું અને તેની હત્યા કરી હતી. આતંકવાદીઓ સેનાની હાલની કડક કાર્યવાહીથી હચમચી ગયા છે અને સેના જવાનોને એકાંત સમયમાં અથવા તો રજા દરમિયાન ટાર્ગેટ કરી રહ્યા છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]