ઝઘડિયામાં હિટ એન્ડ રનની ઘટનામાં 4 મહિલાઓના મોતની ઘટના બાદ ગુમાનદેવના મહંત ઉપર હુમલા બાબતે ટોળા સામે લૂંટ અને માર મારવાની ફરિયાદ
ઝઘડિયાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાનજી મંદિર પાસે બુધવારે સવારમાં સર્જાયેલા ગોઝારા અકસ્માત બાદ મહંતને ટોળાએ ટાર્ગેટ કરી હુમલો કરવાની ઘટના હવે તુલ પકડી રહી છે. ટોળાએ મહંતને માર મારી રોકડા સહિત ₹5.80 લાખની ધાડ ચલાવી હોવાની મહંત દ્વારા ફરિયાદ નોંધાવાઈ છે. ઘટનાના પગલે ભરૂચના સાંસદ મનસુખ વસાવા ગુમાનદેવ દોડી ગયા હતા. જેમને તંત્ર સામે નારાજગી વ્યક્ત […]
ઝઘડિયાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાનજી મંદિર પાસે બુધવારે સવારમાં સર્જાયેલા ગોઝારા અકસ્માત બાદ મહંતને ટોળાએ ટાર્ગેટ કરી હુમલો કરવાની ઘટના હવે તુલ પકડી રહી છે. ટોળાએ મહંતને માર મારી રોકડા સહિત ₹5.80 લાખની ધાડ ચલાવી હોવાની મહંત દ્વારા ફરિયાદ નોંધાવાઈ છે. ઘટનાના પગલે ભરૂચના સાંસદ મનસુખ વસાવા ગુમાનદેવ દોડી ગયા હતા. જેમને તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ઝઘડિયાના પ્રખ્યાત ગુમાનદેવ તીર્થ પાસે કોઈ અજાણ્યા વાહનની અડફેટે 4 મહિલાઓના મૃત્યુ નીપજ્યા હતા. આ અકસ્માત બાદ સ્થાનિક લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો અને સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઘટનાસ્થળ નજીક ગુમાનદેવ મંદિરના સીસીટીવી કેમેરા ચાલુ ન હોવાનો મામલો બિચક્યો હતો. મહંત મનમોહન દાસજીને માર મારવામાં આવ્યો હતો. ઈજાઓ પહોંચતા મહંતને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
મહંત મનમોહનદાસજી પર હુમલા બાદ લૂંટની ઘટના પણ બની હોવાનું પોલીસને જણાવ્યું હતું. ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં રૂપિયા 4.50 લાખ રોકડા, ચાંદીની એક ઈંટ અને દાગીનાની લૂંટની ફરિયાદ કરાઈ છે. મહંતે ઝઘડિયા પોલીસ મથકે ટોળા સામે જીવલેણ હુમલો તેમજ ₹5.80 લાખની લૂંટની ફરિયાદ નોંધાવી છે. ઘટનાના ઘેરા પ્રત્યાઘાત આગામી દિવસોમાં પડે એમ હાલ લાગી રહ્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો