અમરેલીમાં કિસાન સન્માન નિધિ યોજનાના કેસમાં ટેકનિકલ ભૂલથી બીજા ખેડૂતના ખાતામાં રૂપિયા થયા જમા!
કેન્દ્ર સરકારે ખેડૂતોના ખાતામાં સીધા પૈસા પહોંચે તે માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી. જો કે અમરેલી જિલ્લાના એક કેસમાં ટેકનિકલ ભૂલના કારણે એકને બદલે બીજા ખેડૂતના ખાતામાં રૂપિયા જમા થયા. આ મુદ્દે સહકારી આગેવાન દિલીપ સંઘાણી સ્પષ્ટતા કરી કે ભૂલ સુધારી લેવામાં આવશે. સંઘાણીએ આક્ષેપ કર્યો કે કેટલાક લોકોએ યોગ્ય સ્થળે રજૂઆત […]
કેન્દ્ર સરકારે ખેડૂતોના ખાતામાં સીધા પૈસા પહોંચે તે માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી. જો કે અમરેલી જિલ્લાના એક કેસમાં ટેકનિકલ ભૂલના કારણે એકને બદલે બીજા ખેડૂતના ખાતામાં રૂપિયા જમા થયા. આ મુદ્દે સહકારી આગેવાન દિલીપ સંઘાણી સ્પષ્ટતા કરી કે ભૂલ સુધારી લેવામાં આવશે. સંઘાણીએ આક્ષેપ કર્યો કે કેટલાક લોકોએ યોગ્ય સ્થળે રજૂઆત કરવાને બદલે સરકારને બદનામ કરવાનું કાવત્રુ ઘઢી કાઢ્યું છે. આ મુદ્દે ખેતીવાડી અધિકારીએ પણ ભૂલ સુધારવાની ખાત્રી આપી છે.
આ પણ વાંચોઃ શિક્ષણપ્રધાનની સ્પષ્ટતા રાજ્યમાં 6 હજાર જેટલી શાળાઓ મર્જ કરવાનું કોઈ આયોજન નથી
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો