IPL 2020 : સવાલ-જવાબથી જાણો હરાજી, ખેલાડીની કિંમત અને નિયમો વિશે
આઈપીએલ 2020 માટે કોલકાત્તા ખાતે 19 ડિસેમ્બરના રોજ ખેલાડીઓની હરાજી કરવામાં આવશે. 332 ખેલાડી કુલ પસંદગ કરવામાં આવ્યા છે અને તેમાં ભારતીય ખેલાડીઓની સંખ્યા 186 છે. આ 332 ખેલાડીમાં વધારેમાં વધારે 73 ખેલાડીની જ આઈપીએલ 2020 માટે વિવિધ ટીમ પસંદગી કરી શકશે. જાણીશું કેટલાંક સવાલોના જવાબ કે આ હરાજી શું હોય છે અને કેવી રીતે […]
આઈપીએલ 2020 માટે કોલકાત્તા ખાતે 19 ડિસેમ્બરના રોજ ખેલાડીઓની હરાજી કરવામાં આવશે. 332 ખેલાડી કુલ પસંદગ કરવામાં આવ્યા છે અને તેમાં ભારતીય ખેલાડીઓની સંખ્યા 186 છે. આ 332 ખેલાડીમાં વધારેમાં વધારે 73 ખેલાડીની જ આઈપીએલ 2020 માટે વિવિધ ટીમ પસંદગી કરી શકશે. જાણીશું કેટલાંક સવાલોના જવાબ કે આ હરાજી શું હોય છે અને કેવી રીતે કરવામાં આવે છે?
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : કેવી રીતે દિલ્હીમાં સુરક્ષાદળ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ, જુઓ VIDEO
1. IPLમાં હરાજીની પ્રક્રિયા શું હોય છે? 332 ખેલાડીઓને તેમની સ્પેશ્યાલિટી પ્રમાણે અલગ અલગ ગ્રુપમાં રાખવામાં આવે છે. સૌથી પહેલા બલ્લેબાજોની હરાજી કરવામાં આવે છે જેમાં હરાજીકર્તા બેઝ પ્રાઈઝ કહે છે. તે બાદ જે નક્કી કરેલી બેઝ પ્રાઈઝથી વધારે રકમની બોલી વિવિધ આઈપીએલની ફ્રેન્ચાઈઝી વચ્ચે લાગે છે. જે વધારે રકમની બોલી લગાવે છે તે ખેલાડી તેનો થઈ જાય છે. જો કોઈ બોલી ના લગાવે તો ખેલાડી ખરીદી શકાતો નથી.
2. જે ખેલાડી બોલી ન લાગે અને અનસોલ્ડ હોય તો ? આવા ખેલાડીઓ માટે ફરીથી કોઈ ફેંન્ચાઈઝી ખરીદીની ઈચ્છા દર્શાવે તો ખેલાડીની હરાજી થઈ શકે છે.
3. કેપ્ડ અને અનકેપ્ડ ખેલાડીઓ એટલે શું? જે ખેલાડી ક્રિકેટના ત્રણેય ફોર્મટમાંથી કોઈપણ ફોર્મેટમાં પોતાના દેશ માટે રમી ચુક્યો હોય તે કેપ્ડ શ્રેણીમાં આવે છે. આ સિવાયના અન્ય ખેલાડીઓ અનકેપ્ડ શ્રેણીમાં આવે છે.
4. રાઈટ ટુ મેચ અથવા જોકર કાર્ડનો ઉપયોગ શું? જો કોઈપણ જૂના ખેલાડીને ફેંચાઈઝી પરત લાવવા ઈચ્છતી હોય ત્યારે આ રાઈટ ટુ મેચ અથવા જોકર કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે તે ખેલાડી માટે ફેન્ચાઈઝીએ હરાજી દરમિયાન જે ખેલાડીની સર્વાધિક કિંમતની બોલી લાગી તે રકમ ચૂકવવી પડે છે. દરેક ફ્રેન્ચાઈઝી મહત્તમ આ કાર્ડનો ઉપયોગ 5 વખત પોતાના જૂના ખેલાડીને પરત લાવવા માટે કરી શકે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
5. એક ટીમમાં કેટલા ખેલાડી ખરીદી શકાય? કોઈપણ ટીમ વધારેમાં વધારે 25 ખેલાડીઓનો ટીમમાં સમાવેશ કરી શકે છે. ઓછામાં ઓછા 18 ખેલાડી તો જરુરી છે. કોઈપણ ટીમ વધારેમાં વધારે 8 જ વિદેશી ખેલાડી રાખી શકે.
6. પ્લેઈંગ-11 કેટલાં વિદેશી ખેલાડી હશે? જ્યારે કોઈપણ ટીમ મેદાન પર હોય ત્યારે 4થી વધારે વિદેશી ખેલાડીઓને મેદાનમાં રાખી શકે નહીં. ટૂકમાં કહીએ તો આ મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેના લીધે મેચ વખતે 4થી વધારે વિદેશી ખેલાડીઓ ઉતારી શકાય નહીં.
7. કોઈપણ ફેન્ચાઈઝીનું પર્સ એટલે શું? પર્સ એટલે કે કુલ હરાજીની રકમ. આ વખતે 82 કરોડ રાખવામાં આવી છે. 2018ના વર્ષમાં તે 80 કરોડ હતી. આ વખતે પંજાબના ખેલાડી પાસે 42.5 કરોડ રુપિયા છે.
8. ખેલાડીઓની બેઝ પ્રાઈઝ કેવી રીતે નક્કી થાય છે? આ રકમ કેપ્ડ અને અનકેપ્ડ ખેલાડીઓ માટે અલગ અલગ છે. આ વખતે અનકેપ્ડ માટે 20, 30, 40 લાખની શ્રેણી નક્કી કરવામાં આવી છે જ્યારે અનકેપ્ડ ખેલાડીઓ માટે બેઝ પ્રાઈઝ પાંચ શ્રેણીમાં રાખવામાં આવી છે. જેમાં 50 લાખ, 70 લાખ, 1 કરોડ, 1.5 કરોડ અને 2 કરોડ રુપિયાનો સમાવેશ થાય છે.
9. ટાઈમ આઉટનો નિયમ શું છે? રણનીતિ બનાવવા માટે બંને ટીમ એક એક વખત ટાઈમ આઉટ લઈ શકે છે. આ સમયગાળો 2.30 મિનિટનો હોય છે. ટાઈમ-આઉટ દરમિયાન ડ્રિંક્સ લઈ શકાય છે. ફિલ્ડીંગ કરનારી ટીમ 6થી લઈને 9 ઓવર સુધીમાં ટાઈમ આઉટ લઈ શકે છે તો બેટીંગ કરનારી ટીમ 13થી લઈને 16મી ઓવર વચ્ચે ટાઈમ-આઉટ માગી શકે છે.
10. આ વખતે હરાજી કોણ કરાવી રહ્યું છે? હરાજી વખતે નામ બોલવાની જવાબદારી હ્યુજ એડમીડ્સને આપવામાં આવી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]