ભારતના આ એક્સપ્રેસ-હાઈવે પર સરકાર સ્ટોલ ખોલીને મફત ચા પીવડાવશે, જાણો કારણ!
લખનઉ-આગ્રા હાઈવે પર હવે વાહનચાલકોને મફતમાં ચા પીવડાવાની યોજના બનાવવામાં આવી રહી છે. જેની પાછળ ઓથોરીટીએ એક સંસ્થા પાસેથી સંશોધન પણ કરાવ્યું છે ત્યારપછી આ નિર્ણય લીધો છે. ઉત્તરપ્રદેશ એક્સપ્રેસ-વે ઈન્ડ્રસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરીટી(યુપીડા) દ્વારા સતત લખનઉ-આગ્રા એક્સપ્રેસ હાઈવે પર થઈ અકસ્માતની ઘટનાઓને લઈને તપાસ કરવામાં આવી હતી. આ કામ યુપીડાએ સેન્ટ્રલ રોડ રિચર્સ ઈન્સ્ટિટ્યૂટને સોંપ્યું […]
લખનઉ-આગ્રા હાઈવે પર હવે વાહનચાલકોને મફતમાં ચા પીવડાવાની યોજના બનાવવામાં આવી રહી છે. જેની પાછળ ઓથોરીટીએ એક સંસ્થા પાસેથી સંશોધન પણ કરાવ્યું છે ત્યારપછી આ નિર્ણય લીધો છે.
ઉત્તરપ્રદેશ એક્સપ્રેસ-વે ઈન્ડ્રસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરીટી(યુપીડા) દ્વારા સતત લખનઉ-આગ્રા એક્સપ્રેસ હાઈવે પર થઈ અકસ્માતની ઘટનાઓને લઈને તપાસ કરવામાં આવી હતી. આ કામ યુપીડાએ સેન્ટ્રલ રોડ રિચર્સ ઈન્સ્ટિટ્યૂટને સોંપ્યું હતું અને તેના અહેવાલ બાદ યુપીડા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે હવે વાહનચાલકોને ચા મફતમાં આપવામાં આવશે.
થઈ એવું રહ્યું છે કે ગયા વર્ષે એક જ વર્ષમાં 50 જેટલાં અકસ્માત થયા હતા અને તેને લઈને યુપીડાએ તપાસ કરાવતા સામે આવ્યું હતું કે વાહનચાલકોને સતત થાક લાગે છે અને આખા એક્સપ્રેસ હાઈવે પર કોઈ જ રિફ્રેશમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી નથી. આમ યુપીડાના અધિકારીઓ વિચારી રહ્યા્ં છે કે ટૂંક સમયમાં વાહનચાલકોને આ એક્સપ્રેસ-વે પર મફત ચા માટેની દુકાનો ઉભી કરવામાં આવશે જેના દ્વારા વાહનચાલકોને થોડો આરામ મળી શકે.
વધુમાં યુપીડા દ્વારા ગતિને પણ નિયંત્રિત કરવામાં આવશે કારણ કે હાલ નક્કી કરેલી સીમા કરતા વધારે ઝડપથી વાહનચાલકો પોતાના વાહનોને હંકારે છે અને તેના લીધે પણ અકસ્માત થાય છે. બધાની વચ્ચે રિફ્રેશમેન્ટ મળે અને ડ્રાઈવરને ઊંઘ ન આવી જાય તે માટે એક્સપ્રેસ-વે પર ચા માટેની કિટલીઓ ઉભી કરાશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]