ભારતીય ટીમને મોટો ઝટકો, આ 2 સભ્યોએ છોડયો ટીમનો સાથ
વિશ્વ કપમાં ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. વિશ્વ કપ પછી ભારતીય ટીમના કોચિંગ સ્ટાફના 2 મુખ્ય સભ્યોની સેવાઓ નહી મળી શકે. ભારતીય ટીમના ફિટનેસ કોચ શંકર બાસુ અને ટીમના ફિઝીયો પૈટ્રિક ફરહાર્ટે ટીમનો સાથ છોડી દેશે. વિશ્વ કપ પછી તેમની જવબાદારીઓથી તેઓ મુક્ત થઈ જશે. BCCI અધિકારીઓએ આ વાતનો ખુલાસો કર્યો છે કે […]
વિશ્વ કપમાં ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. વિશ્વ કપ પછી ભારતીય ટીમના કોચિંગ સ્ટાફના 2 મુખ્ય સભ્યોની સેવાઓ નહી મળી શકે. ભારતીય ટીમના ફિટનેસ કોચ શંકર બાસુ અને ટીમના ફિઝીયો પૈટ્રિક ફરહાર્ટે ટીમનો સાથ છોડી દેશે. વિશ્વ કપ પછી તેમની જવબાદારીઓથી તેઓ મુક્ત થઈ જશે.
BCCI અધિકારીઓએ આ વાતનો ખુલાસો કર્યો છે કે ટીમ મેનેજમેન્ટ વિશ્વ કપ પછી આ બંનેના વિકલ્પો પર વિચાર કરશે. શંકર બાસુ અને પૈટ્રિક ફરહાર્ટે વિશ્વ કપ પછી ટીમથી અલગ થવા માટે કહ્યું છે કે તે થોડા સમય માટે બ્રેક લેવા માગે છે. બંને લોકોએ ટીમ મેનેજમેન્ટને જાણકારી આપી દીધી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ભારતીય ટીમ મેનેજમેન્ટે શંકર બાસુ અને પૈટ્રિક ફરહાર્ટ બંનેને તેમનો કોન્ટ્રાક્ટ વધારવા માટેની ઓફર આપી હતી પણ તેમને ઓફરનો અસ્વીકાર કરતા થોડા સમય માટે બ્રેક લેવાની વાત કરી હતી.
ભારતીય ટીમ માટે બંનેનું મુખ્ય યોગદાન રહ્યું છે. શંકર અને પૈટ્રિકે ટીમની ફિટનેસને આજે એ સ્તર પર પહોંચાડી દીધી છે કે ભારતીય ટીમના ખેલાડીઓની ગણતરી દુનિયાના સૌથી ફિટ ક્રિકેટરોમાં થાય છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમના ફિટનેસ કોચ શંકર બાસૂએ જ ભારતીય ક્રિકેટરો માટે યો-યો ટેસ્ટ પાસ કરવાનું અનિવાર્ય કર્યુ હતું. શંકર બાસૂ વધારે સમય પડદા પાછળ કામ કરવા માટે જાણીતા છે પણ ભારતીય કેપ્ટન કોહલી તેમની ફિટનેસનું શ્રેય શંકર બાસૂને આપે છે.
[yop_poll id=”1″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]