કોરોના વાયરસના કારણે ભારતીય રેલવેએ 168 ટ્રેન કરી કેન્સલ, જુઓ સમગ્ર લિસ્ટ
કોરોના વાયરસની અસર હવાઈ મુસાફરીની સાથે સાથે રેલવે મુસાફરી પર જોવા મળી રહી છે. ભારતીય રેલવેએ કોરોના વાયરસના કારણે 168 ટ્રેનને 20 માર્ચથી 31 માર્ચ સુધી કેન્સલ કરી દીધી છે. રેલવેએ આ નિર્ણય ટ્રેનમાં મુસાફરોની સંખ્યામાં થયેલા ઘટાડાને લઈ કર્યો છે. ઉલ્લેખનીય છે કે એટલી માત્રામાં રદ કરવામાં આવેલી ટ્રેનોના કારણે રેલવેમાં મુસાફરીનો પ્લાન કરી […]
કોરોના વાયરસની અસર હવાઈ મુસાફરીની સાથે સાથે રેલવે મુસાફરી પર જોવા મળી રહી છે. ભારતીય રેલવેએ કોરોના વાયરસના કારણે 168 ટ્રેનને 20 માર્ચથી 31 માર્ચ સુધી કેન્સલ કરી દીધી છે. રેલવેએ આ નિર્ણય ટ્રેનમાં મુસાફરોની સંખ્યામાં થયેલા ઘટાડાને લઈ કર્યો છે. ઉલ્લેખનીય છે કે એટલી માત્રામાં રદ કરવામાં આવેલી ટ્રેનોના કારણે રેલવેમાં મુસાફરીનો પ્લાન કરી ચૂકેલા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ પહેલા ભારતીય રેલવેએ 80 ટ્રેનને કોરોનાના કારણે રદ કરી દીધી હતી. રદ કરવામાં આવેલી ટ્રેનોમાં ઉત્તર રેલવેની 8 ટ્રેન સામેલ છે.
Indian Railways has cancelled 168 trains due to low occupancy in view of #COVID19, from 20th March to 31st March. #TV9News #Coronavirus #CoronavirusPandemic pic.twitter.com/B9QyndQoBA
— Tv9 Gujarati (@tv9gujarati) March 19, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તેમાં છત્રપતિ શિવાજી મહારાજ નિજામુદ્દીન રાજધાની એક્સપ્રેસ, દિલ્હી સરાય રોહિલ્લા પઠાણકોટ એક્સપ્રેસ, અંબાલા કેન્ટ શ્રીગંગાનગર અંબાલા ઈન્ટરસિટી એક્સપ્રેસ, નવી દિલ્હી ફિરોજપુર શતાબ્દી એક્સપ્રેસ અને હજરત નિજામુદ્દીનથી છત્રપતિ શિવાજી ટર્મિનસ રાજધાની એક્સપ્રેસ સામેલ છે.
વૈશ્વિક મહામારી બની ચૂકેલા કોરોનાના ખતરાને જોતા રેલવે એલર્ટ પર છે. ભારતીય રેલવેએ અધિકારીઓને ઘણા નિર્દેશ આપ્યા છે. આ નિર્દેશમાં ભારતીય રેલવેમાં કોઈ પણ એવા કેટરિંગ કર્મચારીને ખાન-પાનની સેવામાં નિયુક્ત ન કરવાની વાત કહેવામાં આવી છે. જેને શરદી, ઉધરસ કે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોય.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
રદ કરવામાં આવેલી ટ્રેનની યાદીમાં લાંબા અંતરની કેટલીક ટ્રેન સામેલ છે. તે સિવાય ભારતીય રેલવેએ સવારે 7.30 વાગ્યા સુધી 524 રદ ટ્રેનનું લિસ્ટ જાહેર કર્યુ હતું. તે ટ્રેનમાં મેલ, જનશતાબ્દી, સુપરફાસ્ટ ટ્રેન, પેસેન્જર, એક્સપ્રેસ ટ્રેનની સાથે ઘણી સ્પેશિયલ ટ્રેનને પણ રદ કરવામાં આવી છે.
આ પણ વાંચો: કોરોના વાયરસ: હરિદ્વારમાં ગંગા આરતી માટે શ્રદ્ધાળુઓની એન્ટ્રી બંધ, દેશમાં 166 લોકો સંક્રમિત
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]