પુલવામામાં હુમલાની વરસી: CRPFના 40 શહીદ જવાન અંગે સરકારે આ માહિતી આપવાનો કર્યો ઈનકાર
પુલવામામાં આતંકી હુમલાની વરસી આવતીકાલે છે અને આ હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. જો કે સરકાર આ હુમલાને કોઈ વસ્તુ સાર્વજનિક કરવા માગતી નથી. કાશ્મીરના પુલવામામાં આ હુમલો થયો હતો અને તેમાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. વેલેન્ટાઈનના દિવસે જ આ હુમલો થયો હતો. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati […]
પુલવામામાં આતંકી હુમલાની વરસી આવતીકાલે છે અને આ હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. જો કે સરકાર આ હુમલાને કોઈ વસ્તુ સાર્વજનિક કરવા માગતી નથી. કાશ્મીરના પુલવામામાં આ હુમલો થયો હતો અને તેમાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. વેલેન્ટાઈનના દિવસે જ આ હુમલો થયો હતો.
આ પણ વાંચો : શિખર ધવન, હાર્દિક પંડ્યાને તમે આ રીતે ડાન્સ કરતાં નહીં જોયા હોય! જુઓ VIDEO
સરકારે શું માહિતી આપવાનો કર્યો ઈનકાર? ભારતમાં કોઈપણ નાગરિક આરટીઆઈ કાયદાનો ઉપયોગ કરીને માહિતી માગી શકે છે અને આ અંગે એક માહિતી આરટીઆઈ દ્વારા માગવામાં આવી છે. પાનીપતના એક આરટીઆઈ કાર્યકર્તાઓ કરેલી આરટીઆઈમાં શું સરકાર આ 40 શહીદ જવાનોને શહીદનો દરજ્જો આપ્યો છે કે નહીં તે અંગે પ્રશ્વ પૂછવામાં આવ્યો હતો અને આ ઉપરાંત તેનો તપાસ અહેવાલ માગવામાં આવ્યો હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જો કે સરકારે આ વિગતો આપવાનો જ ઈનકાર કરી દીધો છે. આરટીઆઈની કલમમાં વિભાગ -6ના પેરા 6ના 24(1) મુજબ માહિતી આપવામાં આવી નથી. આ પ્રાવધાન સીઆરપીએફને સતા આપે છે કે તે ભ્રષ્ટાચાર કે માનવાધિકારનું ઉલ્લંઘન સિવાય કોઈપણ માહિતી આપવાનો ઈનકાર કરી શકે છે. જો કે સરકારે કોઈ માહિતી આપી નથી. તેમાં પુલવામામાં હુમલામાં જે શહીદ થયા તેની ઓળખ, તેમને આપેલાં સરકારી વળતર, તેમના હોદાઓ, અધિકારીઓની સંડોવણી હોય તો તેના નામ અને સરકાર આ 40 જવાનોને શહીદ માને છે કે નહીં તે અંગે જવાબ માગવામાં આવ્યો હતો અને તેનો ઈનકાર કરી દેવાયો છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]