ભારત, ફ્રાંસ અને બ્રિટન સહિત અનેક દેશોના નાગરીકોને ચીનમાં પ્રવેશ પર અસ્થાયી પ્રતિબંધ લગાવાયો, જાણો કેમ
ભારતમાં આવેલા ચીની દુતાવાસ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે ચીન એ ભારતથી વિદેશી નાગરીકોના પ્રવેશ પર અસ્થાયી સ્વરુપથી નિલંબીત કરી દેવાનો ફેંસલો કરી દેવામાં આવ્યો છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મંજુરી પ્રાપ્ત વિઝા ધરાવનાર કે રેસિડેન્ટ પરમીટ વાળા વિદેશી નાગરીક પણ ચીનમાં પ્રવેશ નહીં કરી શકે. ચીને જે દેશોમાંથી આવતા નાગરીકો પર પ્રવેશ પર […]
ભારતમાં આવેલા ચીની દુતાવાસ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે ચીન એ ભારતથી વિદેશી નાગરીકોના પ્રવેશ પર અસ્થાયી સ્વરુપથી નિલંબીત કરી દેવાનો ફેંસલો કરી દેવામાં આવ્યો છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મંજુરી પ્રાપ્ત વિઝા ધરાવનાર કે રેસિડેન્ટ પરમીટ વાળા વિદેશી નાગરીક પણ ચીનમાં પ્રવેશ નહીં કરી શકે. ચીને જે દેશોમાંથી આવતા નાગરીકો પર પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે, તેમાં ભારત ઉપરાંત બ્રિટન, ફ્રાંસ, બેલ્જીયમ તથા ફીલીપાઈન્સ પણ આ યાદીમાં સામેલ છે. આ દરમ્યાન ભારતીય વિદેશ મંત્રાલયે પણ ચીની દુતાવાસ દ્વારા કરવામાં આવેલી ઘોષણાને એક અસ્થાયી ઉપાય ગણાવ્યો છે. સમય સાથે તેમાં બદલાવ કરવામાં આવશે. આ પગલુ ભારત કેન્દ્રીત નથી, અન્ય દેશો પણ આ પ્રકારના પગલા ભરી ચુક્યા છે અને તેની ઘોષણા કરી ચુક્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
નવી દિલ્હીમાં ચીની દુતાવાસે એક નિવેદન દ્વારા જાણકારી આપી હતી કે, કોવિડ-19 મહામારીને લઈને આ ઘોષણા કરવામાં આવી રહી છે કે ચીનમાં ભારતથી વિદેશી નાગરીકોને પોતાના ત્યાં પ્રવેશ અસ્થાયી રુપથી વિલંબીત કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભારતમાં ચીનના દુતાવાસ, વાણિજ્ય દુતાવાસ મંજુરી પ્રાપ્ત ચીનના વિઝા અથવા રેસિડેન્ટ પરમિટ ધારક માટે સ્વાસ્થ્ય ઘોષણા ફોર્મ પર મહોર લગાવવામાં આવશે નહીં. આ નિવેદન ચીની દુતાવાસની વેબસાઈટ પર પોસ્ટ કરવામાં આવી છે. જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે, આ પ્રતિબંધમાં ચીની રાજદુતીય, સેવા, શિષ્ટાચાર અને સી વિઝા ધારક વિદેશીને પ્રભાવિત નહીં કરવામાં આવે. જે અન્ય લોકોની યાત્રા પર પ્રતિબંધ લગાવાવમાં આવ્યો છે, તેમાં બ્રિટન, બેલ્જીયમ અને ફીલીપાઈન્સ પણ સામેલ છે. નિવેદનમાં કહેવાયુ છે કે, ચીની દુતાવાસ અને વાણિજ્ય દુતાવાસ દેશની ઉપરોક્ત શ્રેણીના ધારકો માટે સ્વાસ્થ ઘોષણા પત્ર પર મહોર નહીં લગાવવામાં આવે.
આ પણ વાંચો: ભરૂચ: બોરી ગામના ગામતળાવમાં મગર નજરે પડતા વનવિભાગે પાંજરું ગોઠવી ઝડપી પાડયો
સંયુક્ત રાજ્ય અમેરીકા, ફ્રાંસ અને જર્મનીના યાત્રીકોએ અલગથી સ્વાસ્થ્ય પરીક્ષણ પરીણામ રજુ કરવાનુ રહેશે. ચીને બ્રિટનથી યાત્રા કરવા વાળા બીન ચીની નાગરીકો માટે પણ અસ્થાયી રુપથી પાબંધી લગાવી છે, ભલે તેમની પાસે વિઝા અને નિવાસી પરમીટ હોય. બ્રિટેનને બીન ચીની યાત્રીઓ માટે અસ્વિકૃતી આવવા માટે પણ ઈંગ્લેન્ડે એક માસ માટે લોકડાઉન પ્રવેશ કરવાનો પણ ગણવામાં આવી રહ્યો છે. બ્રિટનમાં કોરોના વાયરસથી મોતનો આંકડો યુરોપમાં સૌથી વધુ છે. અહી પ્રતિ દિવસ 20 હજારથી વધુ નવા કોરોના વાયરસના દર્દી નોંધાઈ રહ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો