48 વર્ષ બાદ ભારતીય વાયુસેનાએ સરહદ ઓળંગી, POKમાં 200-300 આતંકવાદીઓનો સફાયો, પાકિસ્તાનના 12 સૈનિકો પણ ઠાર
પુલવામા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જબર્દશ્ત હુમલો કર્યો છે. TV9 Gujarati Web Stories View more શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ? IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું? ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર IPL 2024માં […]
પુલવામા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જબર્દશ્ત હુમલો કર્યો છે.
ભારતીય વાયુસેનાના 12 મિરાજ 2000 લડાકૂ વિમાનોએ પીઓકેમાં આવેલા આતંકી કૅમ્પો પર 1000 કિલો બૉંબ વરસાવી જૈશ એ મોહમ્મદના અલ્ફા 3 કંટ્રોલ રૂમ સહિત અનેક ઠેકાણાઓ ધ્વસ્ત કરી નાખ્યા છે.
મળતી માહિતી મુજબ આ ઍર સર્જિકલ સ્ટ્રાઇકમાં પીઓકેમાં રહેલા 200થી 300 આતંકવાદીઓ માર્યા ગયા છે. એટલું જ નહીં, ભારતની આ સર્જિકલ સ્ટ્રાઇક પાર્ટ 2માં પાકિસ્તાનના 12 સૈનિકો પણ માર્યા ગયા હોવાની માહિતી મળી રહી છે.
સરહદ પર આવેલા ગામોના સ્થાનિક લોકોએ પણ જણાવ્યું કે સોમવાર રાત્રિથી જ સરહદ પર લડાકૂ વિમાનોનો અવાજ આવી રહ્યો હતો.
સૂત્રોએ જણાવ્યું કે ભારતીય વાયુસેનાએ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ પહેલી વાર સરહદ ઓળંગીને હુમલો કર્યો છે. આ હમલો પૂરતી તૈયારી સાથે કરાયો હતો. લડાકૂ વિમાનોના હવામાં જ ઈંધણ ભરવાની પણ વ્યવસ્થા કરાઈ હતી.
નોંધનીય છે કે પીએમ નરેન્દ્ર મોદીએ પુલવામા આતંકી હુમલા બાદ ભારતીય સેનાને ખુલ્લી છૂટ આપવાની જાહેરાત કરી હતી.
[yop_poll id=1816]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]