IND vs NZ : ભારતીય ટીમના ખરાબ પ્રદર્શન બાદ વિરાટ કોહલીને આવ્યો ગુસ્સો, વાંચો વિગત
ન્યૂઝીલેન્ડની સામે ભારતીય ટીમ ટકી શકી નથી તે હકીકત છે. ભારતીય ટીમના પરફોર્મન્સ અંગે સવાલો ઉઠી રહ્યાં છે. એક પત્રકારે વિરાટ કોહલીને સવાલ પૂછ્યો હતો અને તેના પર વિરાટ કોહલી ગુસ્સે થઈ ગયા હતા. સોમવારના રોજ એક પ્રેસ કોન્ફરન્સનમાં આ ઘટના બની હતી. ભારતીય ટીમને વનડે બાદ ટેસ્ટ સીરીઝમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટેસ્ટ […]
ન્યૂઝીલેન્ડની સામે ભારતીય ટીમ ટકી શકી નથી તે હકીકત છે. ભારતીય ટીમના પરફોર્મન્સ અંગે સવાલો ઉઠી રહ્યાં છે. એક પત્રકારે વિરાટ કોહલીને સવાલ પૂછ્યો હતો અને તેના પર વિરાટ કોહલી ગુસ્સે થઈ ગયા હતા. સોમવારના રોજ એક પ્રેસ કોન્ફરન્સનમાં આ ઘટના બની હતી. ભારતીય ટીમને વનડે બાદ ટેસ્ટ સીરીઝમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટેસ્ટ સીરીઝ ભારતે 0-2થી ગુમાવી દીધી છે.
આ પણ વાંચો : મુંબઈમાં 1 અઠવાડિયા સુધી કલમ 144 લાગુ, જાણો સાથે ક્યાં ક્યાં અન્ય પ્રતિબંધ મુકાયા?
મેચ ખત્મ થયા બાદ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે એક પત્રકારે વિરાટ કોહલીને સવાલ કર્યો કે શું તેમને મેદાન પર પોતાની આક્રમકતા ઓછી કરવાની જરૂર નથી? શું તમને નથી લાગતું કે તમારે મેદાન પર એક ઉત્તમ ઉદાહરણ સાબિત કરવું જોઈએ?
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે હું તમને આ વાતનો જવાબ પૂછું છું. તમને શું લાગે છે? તમારે યોગ્ય રીતે જાણકારી મેળવવી જોઈએ કે ત્યાં શું થયું હતું. ત્યારબાદ એક સારા સવાલ સાથે તમારે આવવું જોઈએ. મેં રેફરી સાથે વાત કરી લીધી છે. તમે અધૂરી જાણકારી સાથે અહીંયા ના આવી શકો. ધન્યવાદ.
આવું પહેલીવાર નથી થયું કે પ્રેસ કોન્ફરન્સમાં કોહલીએ પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. આ પહેલાં ઈંગ્લેન્ડ ખાતે પણ તેઓ ગુસ્સો કરતાં જોવા મળ્યા હતા. ભારતીય ટીમના કેપ્ટન તરીકે ધોનીનું પ્રદર્શન બહુ જ ખરાબ રહ્યું છે. ધોનીએ ચાર ટેસ્ટ મેચમાં ફક્ત 50 રન જ બનાવ્યા છે.