દિવાળીના તહેવારમાં ભારત અને પાકિસ્તાન બોર્ડર પર મીઠાઈની વહેંચણી થશે નહીં
દિવાળીના તહેવાર પહેલા ભારત અને પાકિસ્તાન બોર્ડર પર ગરમ માહોલ છે. પાકિસ્તાન તરફથી વારંવાર સિઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. જેને જવાબમાં ભારતે પણ પ્રતિકાર કર્યો છે. જો કે દર વર્ષે બોર્ડર પર દિવાળીના તહેવારને લઈ મીઠાઈની વહેંચણી થતી હોય છે. પરંતુ આ વર્ષે થશે નહીં. આ પણ વાંચોઃ ગુટ નિરપેક્ષ દેશના સંમેલનમાં PM મોદી જોડાશે […]
દિવાળીના તહેવાર પહેલા ભારત અને પાકિસ્તાન બોર્ડર પર ગરમ માહોલ છે. પાકિસ્તાન તરફથી વારંવાર સિઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. જેને જવાબમાં ભારતે પણ પ્રતિકાર કર્યો છે. જો કે દર વર્ષે બોર્ડર પર દિવાળીના તહેવારને લઈ મીઠાઈની વહેંચણી થતી હોય છે. પરંતુ આ વર્ષે થશે નહીં.
સૂત્રો મુજબ પ્રોટોકોલ પ્રમાણે ઈસ્લામાબાદમાં ભારતીય હાઈકમિશન દિવાળીના તહેવારની મીઠાઈ પાકિસ્તાનના તમામ ઉચ્ચ કાર્યાલયમાં પહોંચાડે છે. પાકિસ્તાનની ISI દ્વારા પ્રોટોકોલ પ્રમાણે ભારતીય હાઈકમિશનની મીઠાઈનું સ્વાગત કર્યું પરંતુ તેને પાછી મોકલાવી દીધી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તો સાથે બોર્ડર પર પણ પાકિસ્તાનના જવાનો ભારતની મીઠાઈનો સ્વીકાર કરશે નહીં. જમ્મુ-કાશ્મીરમાંથી 370 દૂર થયા બાદ પાકિસ્તાનને તેની ઓકાત દેખાઈ ચૂકી છે. જેને લઈ સતત ભારતની બોર્ડર પર ફાયરિંગ જેવી હરકત કરી રહ્યું છે. જો કે ભારતના જવાનોએ પણ પાકિસ્તાનને જવાબ દેવામાં વાર લગાવી નથી.