ભારત-જાપાનના સંયુક્ત શિખર સંમેલનની બેઠક રદ, CABના વિરોધને કારણે લેવાયો નિર્ણય
નાગરિકતા સંસોધન બિલ વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યા છે. જેની વચ્ચે ભારત-જાપાનના સંયુક્ત શિખર સંમેલનની બેઠક રદ કરવામાં આવી છે. આ અંગેની જાણકારી વિદેશ વિભાગના પ્રવક્તા રવિશ કુમારે આપી છે. જાપાનના પ્રધાનમંત્રી શિંઝો આબે આ બેઠકમાં આવવાના હતા. બેઠક ગુવાહટીમાં યોજાવવાની હતી. પરંતુ નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં પૂર્વોત્તર સહિત આસામમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. With […]
નાગરિકતા સંસોધન બિલ વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યા છે. જેની વચ્ચે ભારત-જાપાનના સંયુક્ત શિખર સંમેલનની બેઠક રદ કરવામાં આવી છે. આ અંગેની જાણકારી વિદેશ વિભાગના પ્રવક્તા રવિશ કુમારે આપી છે. જાપાનના પ્રધાનમંત્રી શિંઝો આબે આ બેઠકમાં આવવાના હતા. બેઠક ગુવાહટીમાં યોજાવવાની હતી. પરંતુ નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં પૂર્વોત્તર સહિત આસામમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે.
With reference to the proposed visit of Japanese PM @AbeShinzo to India, both sides have decided to defer the visit to a mutually convenient date in the near future.
— Raveesh Kumar (@MEAIndia) December 13, 2019
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
બુધવારે હિંસાનું વાતાવરણ જોવા મળ્યું હતું. જે બાદ ગઈકાલે લોકોએ કર્ફ્યુનું પણ ઉલ્લંઘન કર્યું હતું. ગુવાહાટીમાં 2 લોકોના મોત પણ થયા છે. તો બીજી તરફ બસ અને ટ્રેનની સેવા પણ બંધ છે. તો ગુવાહાટીથી ડિબ્રૂગઢ જતી અનેક ફ્લાઈટ પણ રદ કરી દેવાઈ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો