IND vs AUS: વિવાદ બાદ હરકતમાં આવી બીસીસીઆઇ, રોહિત અને ઇશાંતને જલદી મોકલવા માટે ઓસ્ટ્રેલીયાની મદદ માંગી
ઓસ્ટ્રેલીયા સામે આવતા મહિને શરુ થઇ રહેલી ટેસ્ટ સીરીઝની પ્રથમ બે ટેસ્ટ મેચમાંથી, રોહિત શર્મા અને ઇશાંત શર્મા બહાર થવાના સમાચાર સામે આવ્યા હતા. આ દરમ્યાન જ હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બંને ખેલાડીઓને જલદી થી ટીમનો હિસ્સો બનાવવાના પ્રયાસમાં લાગી ચુક્યુ છે. તાજા સમાચાર મુજબ બીસીસીઆઇએ ક્રિકેટ ઓસ્ટ્રેલીયાને વાત કરીને બંને ખેલાડીઓને ક્વોરન્ટાઇન નિયમો […]
ઓસ્ટ્રેલીયા સામે આવતા મહિને શરુ થઇ રહેલી ટેસ્ટ સીરીઝની પ્રથમ બે ટેસ્ટ મેચમાંથી, રોહિત શર્મા અને ઇશાંત શર્મા બહાર થવાના સમાચાર સામે આવ્યા હતા. આ દરમ્યાન જ હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બંને ખેલાડીઓને જલદી થી ટીમનો હિસ્સો બનાવવાના પ્રયાસમાં લાગી ચુક્યુ છે. તાજા સમાચાર મુજબ બીસીસીઆઇએ ક્રિકેટ ઓસ્ટ્રેલીયાને વાત કરીને બંને ખેલાડીઓને ક્વોરન્ટાઇન નિયમો થી છુટ અપાવવા માટે આગ્રહ કર્યો છે. જેથી રોહિત અને ઇશાંત શર્મા બંને ટીમ ઇન્ડિયાના બીજા અભ્યાસ મેચમાં સામેલ થઇ શકે.
એક અંગ્રેજી અખબારના રિપોર્ટનુસાર, બીસીસીઆઇએ આ મુદ્દા પર ઓસ્ટ્રેલીયાના ક્રિકેટ બોર્ડ સાથે ચર્ચા શરુ કરી દીધી છે. રિપોર્ટમાં એક બીસીસીઆઇ ના અધીકારીના હવાલા થી બતાવવામા આવ્યુ છે કે, ભારતીય બોર્ડ ના આગ્રહ પછી, ક્રિકેટ ઓસ્ટ્રેલીયા સરકારની સામે આ મુદ્દાને રાખ્યો છે. અધિકારીના મુજબ, નિયમોમાં જો કદાચ છુટ મળી શકી છે તો, રોહિત અને ઇશાંત બનંને બીજા અભ્યાસ મેચ દરમ્યાન હારજ રહી શકે છે.
ઓસ્ટ્રેલીયા સરકારે કોરોના વાયરસને લઇને દેશમાં આવવા વાળા તમામ યાત્રીકોનો 14 દિવસનો ક્વોરન્ટાઇન રહેવાનુ ફરજીયાત કર્યુ છે. જેને લઇને ભારતીય ક્રિકેટ ટીમ અને કેટલાક ઓસ્ટ્રેલીયાના ક્રિકેટરોએ પણ આ દિવસોમાં સિડનીમાં ક્વોરન્ટાઇન સમયગાળો પસાર કરવો પડ્યો છે. જોકે હાલમાં તેમને ક્વોરન્ટાઇન સાથે અભ્યાસ કરવાની છુટ મળી છે. બંને ટીમોને ખેલાડીઓનો ક્વોરન્ટાઇન સમય 26, નવેમ્બરે ખતમ થઇ રહ્યો છે. 27, નવેમ્બરે સિડનીમાં જ વન-ડે સીરીઝની શરુઆત થઇ રહી છે.
રિપોર્ટના મુજબ ઓસ્ટ્રેલીયામાં વિશેષ પરિસ્થિતીઓમાં ખાસ યાત્રીઓને ક્વોરન્ટાઇન સંબંઘીત નિયમોમાં રાહત આપવાની જોગવાઇ છે. ભારતીય અને ઓસ્ટ્રેલીયાઇ બોર્ડ આ જોગવાઇ હેઠળ બંને ખેલાડીઓને ક્વોરન્ટાઇનમાં રાહત અપાવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. હાલમાં રોહિત શર્મા અને ઇશાંત શર્મા બંને બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં ફિટનેશ પર કામ કરી રહ્યા છે. બંને ખેલાડીઓએ યુએઇમાં આઇપીએલ 2020 દરમિયાન ઇજાગ્રસ્ત થયા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો