મોરારીબાપુએ અમિત શાહની તુલના સરદાર પટેલ સાથે કરી, જુઓ VIDEO
મોરારીબાપુએ એક કથામાં નિવેદન આપ્યું છે અને તેના લીધે રાજકારણ ગરમાયું છે. મોરારીબાપુએ અમિત શાહ અને સરદાર પટેલની સરખામણી કરી છે. તેમણે કથામાં કહ્યું કે અમિત શાહ હિંમતપૂર્વક નિર્ણય લે ત્યારે સરદારની યાદ અપાવે છે. રાજકોટના વિરપુર ખાતે ચાલી રહેલી કથામાં મોરારીબાપુએ આ નિવેદન આપ્યું છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો […]
મોરારીબાપુએ એક કથામાં નિવેદન આપ્યું છે અને તેના લીધે રાજકારણ ગરમાયું છે. મોરારીબાપુએ અમિત શાહ અને સરદાર પટેલની સરખામણી કરી છે. તેમણે કથામાં કહ્યું કે અમિત શાહ હિંમતપૂર્વક નિર્ણય લે ત્યારે સરદારની યાદ અપાવે છે. રાજકોટના વિરપુર ખાતે ચાલી રહેલી કથામાં મોરારીબાપુએ આ નિવેદન આપ્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો : ગણતંત્ર દિવસ પર જ આ રાજ્યમાં 4 બોંબ બ્લાસ્ટ, સુરક્ષા પર ઉઠ્યા સવાલ
આ નિવેદન અંગે કોંગ્રેસની પ્રતિક્રિયા જાણવાનો ટીવીનાઈને પ્રયાસ કર્યો હતો. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ મોરારીબાપુના આ નિવેદન અંગે કહ્યું કે મોરારીબાપુએ સરદાર પટેલનું અપમાન કર્યું છે. આ સિવાય તેઓએ કહ્યું કે ક્યાં સરદાર પટેલ અને ક્યાં અમિત શાહ! જો કે ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજાએ મોરારીબાપુના આ નિવેદનને સ્વાર્થ વિનાની વાત ગણાવી છે.