AAPની મુખ્ય બેઠક આજે, આ દિવસે શપથ ગ્રહણ કરી શકે છે અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે આજે પોતાના ઘર પર પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક બોલાવી છે. AAPના વરિષ્ઠ નેતા ગોપાલ રાયે જણાવ્યું કે બેઠક સવારે 11 વાગ્યે શરૂ થઈ શકે છે. AAPના નેતાઓનું કહેવું છે કે પાર્ટી મુખ્યપ્રધાન પદના શપથગ્રહણ સમારોહ માટે બે તારીખો 14 ફેબ્રુઆરી અને 16 ફેબ્રુઆરી પર વિચાર કરી રહી […]
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે આજે પોતાના ઘર પર પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક બોલાવી છે. AAPના વરિષ્ઠ નેતા ગોપાલ રાયે જણાવ્યું કે બેઠક સવારે 11 વાગ્યે શરૂ થઈ શકે છે. AAPના નેતાઓનું કહેવું છે કે પાર્ટી મુખ્યપ્રધાન પદના શપથગ્રહણ સમારોહ માટે બે તારીખો 14 ફેબ્રુઆરી અને 16 ફેબ્રુઆરી પર વિચાર કરી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મળતી માહિતી મુજબ શપથગ્રહણ સમારોહ સ્થળ માટે રામલીલા મેદાન પર વિચાર કરવામાં આવી રહ્યો છે અને ભવ્ય કાર્યક્રમની યોજના છે. ઉલ્લેખનીય છે કે AAP નેતાએ સ્પષ્ટ કર્યુ છે કે શપથગ્રહણ સમારોહ માટે અંતિમ નિર્ણય આવવાનો બાકી છે. તેમને જણાવ્યું કે પાર્ટી ધારાસભ્ય દળના નેતાને પસંદ કર્યા પછી ઉપરાજ્યપાલ અનિલ બૈજલને તેની જાણકારી આપવામાં આવશે, ત્યારબાદ જાહેરનામું બહાર પાડવામાં આવશે.
દિલ્હીની 70 વિધાનસભા સીટ પર AAPએ 62 સીટ પર જીત મેળવી છે. AAPની આ શાનદાર જીત પર વડાપ્રધાન મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી, ઓડિશા મુખ્યપ્રધાન નવીન પટનાયક સહિત ઘણા નેતાઓએ કેજરીવાલને શુભેચ્છાઓ આપી હતી. ત્યારે ભાજપે 8 સીટ પર જીત મેળવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: કેજરીવાલની આગેવાનીમાં આમ આદમી પાર્ટીની સરકાર, જાણો ક્યાં દિગ્ગજ નેતાઓને મળી જીત?
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]