દિવાળીએ પોળોના જંગલમાં જવાનું વિચારતા હોવ, તો આ સમાચાર વાંચજો, કારના પ્રવેશ ઉપર લગાવાયો પ્રતિબંધ
કોરોનાના સંક્રમણ અને પ્રદુષણને ધ્યાને રાખીને સાબરકાંઠા જિલ્લા કલેકટરે જાહેરનામુ બહાર પાડીને, પોળોના જંગલ વિસ્તારમાં કારના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. સામાન્ય રીતે દિવાળીના પર્વમાં કે પછી વિકએન્ડમાં શનિવાર રવિવારની રજામાં લોકો હરવા ફરવા માટે પોળોના જંગલ વિસ્તારમાં જઈ રહ્યાં છે. ત્યારે આ પ્રતિબંધ પ્રવાસ શોખિન ગુજરાતીઓ માટે મુશ્કેલીજનક છે. જો કે જિલ્લા કલેકટરે બહાર […]
કોરોનાના સંક્રમણ અને પ્રદુષણને ધ્યાને રાખીને સાબરકાંઠા જિલ્લા કલેકટરે જાહેરનામુ બહાર પાડીને, પોળોના જંગલ વિસ્તારમાં કારના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. સામાન્ય રીતે દિવાળીના પર્વમાં કે પછી વિકએન્ડમાં શનિવાર રવિવારની રજામાં લોકો હરવા ફરવા માટે પોળોના જંગલ વિસ્તારમાં જઈ રહ્યાં છે. ત્યારે આ પ્રતિબંધ પ્રવાસ શોખિન ગુજરાતીઓ માટે મુશ્કેલીજનક છે. જો કે જિલ્લા કલેકટરે બહાર પાડેલા જાહેરનામા મુજબ શારેશ્વર સુધી કારમાં જઈ શકાશે, પરંતુ શારેશ્વરથી આગળ કોઈને પણ કાર લઈ જવા દેવામાં નહી આવે. શારેશ્વર સુધી કાર લઈ જવા દેવા અને ત્યાથી આગળ જવા માટે દ્વીચક્રી વાહનના ઉપયોગ અંગેનું જાહેરનામુ આગામી 9 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો