જો તમે આ મહિનામાં પ્લેનથી મુસાફરી કરવાના છો તો આ સમાચાર જરૂર વાંચો

જમ્મૂ કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કર્યા પછી પાકિસ્તાન પરેશાન છે. આંતકી હુમલાની શંકામાં દેશના તમામ એરપોર્ટ પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યૂરોએ (BCAS) તમામ એરલાઈન્સ અને એરપોર્ટના મેનેજમેન્ટને કહ્યું કે હવે ડોમેસ્ટિક મુસાફરો માટે 3 કલાક પહેલા એરપોર્ટ પોંહચવુ જરૂરી બનશે. જે મુસાફરોને આંતરરાષ્ટ્રીય મુસાફરી કરવાની છે. તેમને 4 કલાક પહેલા […]

જો તમે આ મહિનામાં પ્લેનથી મુસાફરી કરવાના છો તો આ સમાચાર જરૂર વાંચો
Follow Us:
| Updated on: Aug 08, 2019 | 6:27 AM

જમ્મૂ કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કર્યા પછી પાકિસ્તાન પરેશાન છે. આંતકી હુમલાની શંકામાં દેશના તમામ એરપોર્ટ પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યૂરોએ (BCAS) તમામ એરલાઈન્સ અને એરપોર્ટના મેનેજમેન્ટને કહ્યું કે હવે ડોમેસ્ટિક મુસાફરો માટે 3 કલાક પહેલા એરપોર્ટ પોંહચવુ જરૂરી બનશે.

જે મુસાફરોને આંતરરાષ્ટ્રીય મુસાફરી કરવાની છે. તેમને 4 કલાક પહેલા એરપોર્ટ પર પહોંચવુ પડશે. સ્વતંત્રતા દિવસની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિયમ 10 ઓગસ્ટથી 20ઓગસ્ટ સુધી લાગૂ રહેશે. જ્યારે સામાન્ય સ્થિતીમાં ડોમેસ્ટિક ઉડાન માટે 2 કલાક અને આંતરરાષ્ટ્રીય ઉડાન માટે 3 કલાક પહેલા એરપોર્ટ પહોંચવુ પડે છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એરપોર્ટમાં આવતી તમામ ગાડીઓની તપાસ થશે. તે ગાડીઓ પાર્કિગમાં હોય, ટર્મિનલની બહાર હોય કે પિક-ડ્રોપ સર્વિસમાં લાગેલી હોય. આ રીતે તમામ મુસાફરોની એરપોર્ટમાં એન્ટ્રીથી લઈને વિમાનમાં પહોંચશે ત્યાં સુધી કડક સુરક્ષા તપાસ થશે. 30 ઓગસ્ટ સુધી એરપોર્ટ પર વિઝીટર પાસ મળશે નહી, બ્યૂરોએ વિઝિટર્સની એન્ટ્રી બંધ કરી દીધી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

માત્ર મુસાફરોની તપાસ જ થશે નહી પણ પાયલટ, ક્રુ સ્ટાફ, ગ્રાઉન્ડ સ્ટાફ સહિત એરપોર્ટના તમામ કર્મચારીઓની તપાસ કરવામાં આવશે. સાથે જ જોવામાં આવશે કે તેમાંથી કોઈ કર્મચારીઓએ દારૂનું સેવન તો કર્યુ નથી, તે તમામ લોકોનું બ્રેથ એનાલાઈઝર ટેસ્ટ થશે. જ્યારે અત્યાર સુધી માત્ર પાયલટ અને કેબિન ક્રુ મેમ્બર જ આ પ્રક્રિયામાંથી પસાર થતા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

BCASએ કહ્યું કે જે પણ બ્રેથ એનાલાઈઝર ટેસ્ટમાં દારૂનું સેવન કર્યુ હશે અને પકડાશે તો તેમની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ પાયલટ પકડાશે તો તેનું લાઈસન્સ પણ રદ થઈ શકે છે. જે કર્મચારી લાઈસન્સ વગર કામ કરે છે તેમને થોડા સમય માટે અથવા તો કાયમ માટે નોકરીમાંથી કાઢી મુકવામાં આવી શકે છે.

[yop_poll id=”1″]

BCASએ વધુમાં કહ્યું કે એરપોર્ટને એ પણ આદેશ આપવામાં આવ્યો છે કે એરપોર્ટ પર ડ્રોન, મોડલ અને માઈક્રોલાઈટ એરક્રાફ્ટ પર નજર રાખે. તમામ એરપોર્ટ ક્વિક રિએક્શન ટીમને તૈનાત રાખે. તે સિવાય દિલ્હી એરપોર્ટના પાર્કિગ એરિયામાં વિશેષ આદેશ આપવામાં આવ્યા છે. આ તમામ નિયમ ત્યાં સુધી લાગૂ રહેશે જ્યાં સુધી બ્યૂરો કોઈ બીજા આદેશ ના આપે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">