તમારુ વજન વધારે છે, તો આ સૂકોમેવો વજન ઘટાડવામાં કરશે મદદ
અખરોટ ખાવાથી દિમાગ તેજ થાય છે એ તો આપણે સૌ જાણીએ છીએ પણ તેના સેવન કરવાથી બીજા પણ ઘણા ફાયદા થાય છે, જેના વિશે આપણે બહુ ઓછું જાણીયે છીએ. અખરોટ વજન ઓછું કરવામાં અને હૃદયની બીમારીઓથી લડવામાં પણ મદદ કરે છે. અખરોટમાં અન્ય સૂકા મેવા કરતા વધારે એન્ટીઓક્સીડેન્ટ વધારે છે. તે કોલેસ્ટ્રોલની મદદથી થવા વાળા […]
અખરોટ ખાવાથી દિમાગ તેજ થાય છે એ તો આપણે સૌ જાણીએ છીએ પણ તેના સેવન કરવાથી બીજા પણ ઘણા ફાયદા થાય છે, જેના વિશે આપણે બહુ ઓછું જાણીયે છીએ. અખરોટ વજન ઓછું કરવામાં અને હૃદયની બીમારીઓથી લડવામાં પણ મદદ કરે છે.
અખરોટમાં અન્ય સૂકા મેવા કરતા વધારે એન્ટીઓક્સીડેન્ટ વધારે છે. તે કોલેસ્ટ્રોલની મદદથી થવા વાળા હૃદયના રોગો સામે લડવામાં મદદ કરે છે.
અખરોટ ઓમેગા 3નો સારો સ્ત્રોત છે. અને તે હૃદયની બીમારીઓ, ટાઈપ 2 સુગરને ઓછું કરવામાં મદદ કરે છે. તેનું સેવન એવા લોકો માટે ફાયદાકારક છે જે નિયમિત રૂપથી શારીરિક અને માનસિક કાર્ય કરે છે.
અખરોટ કેલેરીથી ભરપૂર છે. મોટાપાથી પીડાતો કોઈ વ્યક્તિ જો પાંચ દિવસ કે વધારે સમય માટે સારી રીતે અખરોટ ખાય તો તેની ભુખ મર્યાદિત થઈ જાય છે અને સ્વાસ્થ્ય પણ સુધરે છે.
અખરોટમાં પોલીફેનોલ્સ નામનું તત્વ હોય છે. જે સ્તન કેન્સર, પ્રોસ્ટેટ, અને કોલેસ્ટ્રોલ કેન્સરથી બચાવે છે.
અખરોટને તમે આખી રાત પલાળી રાખીને સવારે ઉઠીને ખાઈ શકો છો. પલાળેલા અખરોટ ખાવાથી સુગર અને વજન ઓછું કરવામાં મદદ મળે છે. અખરોટની ચટણી પણ બનાવી શકીએ છીએ.
આ પણ વાંચોઃનસકોરાંની સમસ્યાથી છૂટકારો મેળવવા અપનાવો આ તરકીબ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો