આઇસીસીના આ નિર્ણયથી ટીમ ઇન્ડિયાને થયુ નુકશાન, તો ઓસ્ટ્રેલીયાને થયો ફાયદો
કોવિડ-19 મહામારીને લઇને ટેસ્ટ ચેમ્પિયનશીપમાં બદલાવ થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો, પરંતુ હવે આસીસી એ સ્પષ્ટ કરી દીધુ છે. આંતર રાષ્ટ્રીય ક્રિકેટ પરિષદએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપને લઇને મોટો નિર્ણય સંભળાવ્યો છે. આઇસીસીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઇન્ટ્સના નિયમને જ બદલી નાંખ્યો છે. જેના કારણે ટીમ ઇન્ડિયાને મોટુ નુકશાન થયુ છે. આઇસીસીએ નિયમોમાં ફેરફાર કરતા અગાઉ […]
કોવિડ-19 મહામારીને લઇને ટેસ્ટ ચેમ્પિયનશીપમાં બદલાવ થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો, પરંતુ હવે આસીસી એ સ્પષ્ટ કરી દીધુ છે. આંતર રાષ્ટ્રીય ક્રિકેટ પરિષદએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપને લઇને મોટો નિર્ણય સંભળાવ્યો છે. આઇસીસીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઇન્ટ્સના નિયમને જ બદલી નાંખ્યો છે. જેના કારણે ટીમ ઇન્ડિયાને મોટુ નુકશાન થયુ છે.
આઇસીસીએ નિયમોમાં ફેરફાર કરતા અગાઉ ભારતીય ટીમ નંબર એક ના સ્થાન પર હતી. પરંતુ હવે તે એક સ્થાન ખસીને બીજા નંબર પર આવી પહોંચી છે. તો આમ થવા થી હવે ઓસ્ટ્રેલીયાની ટીમ રેંકીંગમાં નંબર એક ના સ્થાન પર આવી ચુકી છે. આઇસીસીએ ટીમોને તેમની મેચમાં મળેલી જીતના અંકોના સરેરાશ નિકાળવામાં આવ્યા છે. જે સીરીઝ મહામારીના સમયગાળાને લઇને રમી શકાઇ નથી તેને ડ્રો માની લેવામાં આવી છે. આઇસીસીના આ નિયમના કારણે ઓસ્ટ્રેલીયાને ફાયદો થયો છે.
ભારતીય ટીમ હાલમાં ચાર સીરીઝમાં 360 અંક ધરાવે છે, જે અંકોના આધારે જ ટીમ ઇન્ડિયા ટોપ પર હતી. નવા નિયમનુસાર સરેરાશને આધારે હવે બીજા સ્થાન પર છે. બીજી તરફ ઓસ્ટ્રેલીયાના ત્રણ સીરીઝ સાથે 296 અંક હતા. આમ તે બીજા સ્થાન પર હતી, પરંતુ હવ તે પોઇન્ટની બાબતમાં ટોપર બની ગઇ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો