‘ચોકીદાર ચોર હે’ પર રાહુલ ગાંધીએ કહ્યું કે , મેં સુપ્રીમ કોર્ટ પાસે માફી માંગી, ભાજપ પાસે નહી
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની અર્થવ્યવસ્થાને નષ્ટ કરી દીધી છે. તેમને યુવાનોને રોજગારી નથી આપી. તેઓ ચૂંટણી હારી રહ્યાં છે. તેની અસર તેમના ચેહરા પર દેખાઈ રહી છે. રાહુલ ગાંધીએ દાવો કરતા કહ્યું કે હું કોંગ્રેસ સરકાર આવશે તો 22 લાખ યુવાનોને એક વર્ષની અંદર રોજગારી આપવાની ગેંરટી આપુ છુ. […]
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની અર્થવ્યવસ્થાને નષ્ટ કરી દીધી છે. તેમને યુવાનોને રોજગારી નથી આપી. તેઓ ચૂંટણી હારી રહ્યાં છે. તેની અસર તેમના ચેહરા પર દેખાઈ રહી છે.
રાહુલ ગાંધીએ દાવો કરતા કહ્યું કે હું કોંગ્રેસ સરકાર આવશે તો 22 લાખ યુવાનોને એક વર્ષની અંદર રોજગારી આપવાની ગેંરટી આપુ છુ. વડાપ્રધાન મોદી પર સેનાના નામ પર રાજનીતિ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે સેના ભારતની છે, કોઈ વ્યકિત વિશેષની નથી. રાહુલ ગાંધીએ ફરી વડાપ્રધાન પર રાફેલ ડીલમાં 30 હજાર કરોડના કૌંભાડનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું કે ચોકીદાર ચોર હે પાર્ટીનું સુત્ર છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે રાફેલ ડિલ મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે અને મેં સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને ટિપ્પણી કરી જેને કારણે મેં માફી માંગી પણ મેં ભાજપ કે વડાપ્રધાન મોદીજીની માફી નથી માંગી. અમારુ ચોકીદાર ચોર હે સુત્ર ચાલુ રહેશે.
Congress President Rahul Gandhi: Process was going on in Supreme Court and I made a comment attributed to SC so I apologized. I did not apologize to BJP or Modi ji. 'Chowkidar Chor hai' will remain our slogan#Tv9News pic.twitter.com/2do9ZhCE8d
— Tv9 Gujarati (@tv9gujarati) May 4, 2019
રાહુલ ગાંધીએ કહ્યું કે સેના, વાયુસેના, અને નૌકાદળ વડાપ્રધાન મોદીજીની ખાનગી સંપતિ નથી. જ્યારે તે કહે છે કે UPA સરકારમાં સર્જિકલ સ્ટ્રાઈક વીડિયો ગેમની જેમ થતી હતી. ત્યારે તે કોંગ્રેસ નહી પણ સેનાનું અપમાન કરે છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]