કુંભના મેળામાં કરોડો લોકોની ભીડમાં જો કોઈ ખોવાઈ જાય તો જાણો કેવી રીતે સરળતાથી તે વ્યક્તિને શોધી શકશો
કુંભના મેળામાં લોકો ખોવાઈ જાય છે તેવી સ્ટોરીઝ આપણે ખૂબ સાંભળી છે અને બૉલિવૂડ ફિલ્મોમાં જોઈ પણ છે. પરંતુ આ બધી વાર્તાઓનું બીજું પાસું ણ છે. અને તે છે કેવી રીતે કુંભમાં ખોવાઈ જતા લોકોને તેમના પરિવારજનો સાથે પાછા મળાવવામાં આવે છે. આવા ખોવાઈ ગયેલા લોકોને શોધના 2 પ્રકારની સિસ્ટમ ત્યાં કામ કરે છે. પહેલી […]
કુંભના મેળામાં લોકો ખોવાઈ જાય છે તેવી સ્ટોરીઝ આપણે ખૂબ સાંભળી છે અને બૉલિવૂડ ફિલ્મોમાં જોઈ પણ છે. પરંતુ આ બધી વાર્તાઓનું બીજું પાસું ણ છે. અને તે છે કેવી રીતે કુંભમાં ખોવાઈ જતા લોકોને તેમના પરિવારજનો સાથે પાછા મળાવવામાં આવે છે. આવા ખોવાઈ ગયેલા લોકોને શોધના 2 પ્રકારની સિસ્ટમ ત્યાં કામ કરે છે. પહેલી સિસ્ટમ છે મેન્યૂઅલ અને બીજી છે કમ્પ્યૂટરાઈઝ્ડ.
કુંભમેળામાં દર વખતની જેમ આ વખતે પણ ખોવાયેલા લોકો માટે એક વિભાગ બનાવવામાં આવ્યો છે જે સંપૂર્ણ રીતે કમ્પ્યૂટરાઈઝ્ડ છે.
કમ્પ્યૂટરાઈઝ્ડ સિસ્ટમ
આ પ્રક્રિયામાં પૂણેની એક આઈટી સોલ્યૂશન કંપની ઉત્તર પ્રદેશ પોલીસ સાથે મેળીને કમ્પ્યૂટરાઈઝ્ડ રીતે ગૂમ થઈ ગયેલા લોકોને શોધવાનું કામ કરે છે.
- પહેલા તો ખોવાઈ ગયેલી વ્યક્તિનું નામ, ઉંમર અને તેણે શું પહેર્યું છે તે બધી માહિતી આપવાની હોય છે.
- તે વ્યક્તિ કોની સાથે કુંભમાં આવી છે અને તેની સાથે આવેલી વ્યક્તિનું નામ અને પહેરવેશ પણ લખાવવાનો હોય છે.
- ખોવાઈ ગયેલી વ્યક્તિ છેલ્લે ક્યાં હતી તે જાણકારી પણ આપવાની હોય છે.
- ત્યારબાદ કુંભનો ગૂમ થયેલાા લોકો માટેનો વિભાગ 12 સેન્ટર પર જાણકારી અપલોડ કરવામાં આવે છે.
- તેને સ્ક્રિન પર ફ્લેશ કરવામાં આવે છે.
- આ દરમિયાન ખોવાઈ ગયેલી વ્યક્તિના ભોજન અને તેની દેખભાળ માટે એક વૉલંટિયર હાજર હોય છે.
ખોવાયેલા લોકો માટેનું કેન્દ્ર ઉત્તર પ્રદેશ પોલીસ વિભાગના સંપર્કમાં જ રહે છે. પ્રયાગરાજ શહેરમાં કુલ 15 સેન્ટર છે જેમાં 12 સેન્ટર કુંભમાં છે અને 3 શહેરમાં. જો કોઈ ખોવાઈ ગયેલી વ્યક્તિ કોઈ પણ સેન્ટર પર જાય છે તો તે વ્યક્તિની માહિતી ડેટા ઓપરેટર લઈ લે છે. જેમ લૉસ્ટ એન્ડ ફાઉન્ડની એન્ટ્રી સોફ્ટવેરમાં કરવામાં આવે છે તે જ સમયે આખા મેળામાં LED સ્ક્રીન પર ફ્લેશ કરવામાં આવે છે. સ્ક્રીન પર ખોવાયેલી વ્યક્તિનો ફોટો, તેની ઉંમર, તેનો પહેરવેશ એ બધું બતાવવામાં આવે છે. અને એ સાથે ક્પ્યૂટરાઈઝ્ડ અનાઉન્સમેન્ટ પણ કરવામાં આવે છે.
બીજી સિસ્ટમ- મેન્યૂઅલ
આ સિસ્ટમમાં ખોવાયેલી વ્યક્તિનું નામ, ઉંમર અને પહેરવેશ વિશેની જાણકારી લેવામાં આવે છે. અને ત્યારબાદ મેળામાં અલગ અલગ જગ્યાઓ પર લાગેલા લાઉડસ્પીકરમાં જાહેર કરવામાં આવે છે. આ પ્રક્રિયા વર્ષ 1946થી ચાલતી આવે છે.
આ પણ વાંચો: કુંભમેળામાં બન્યું દેશનું સૌથી અનોખું ડાઈનિંગ ટેબલ, ભોજન કરતા પહેલા લોકો થઈ જાય છે કંઈક વિચારવા મજબૂર, VIDEO
ખોવાયેલા લોકોને શોધવાનું કામ કરતી શિબિરના અધ્યક્ષ ભોલાનાથ તિવારી આ અંગે કહે છે,
“મારા પિતાજી પંડિત રાજારામ તિવારીએ 1946માં ખોવાયેલા લોકો માટે એક શિબિર સ્થાપી હતી. અમારી શિબિરમાં આશરે 150 કાર્યકર્તાઓ ખોવાયેલા લોકોને તેમના પરિવારજનો સાથે મેળવે છે. તેમનું નામ અનાઉન્સ કરવામાં આવે છે. તેમને ભોજન આપવામાં આવે છે. તેમને ઘર સુધી પરત મોકલવાની સુવિધા પણ અમે કરીએ છીએ. આ આધુનિક યુગમાં પણ લોકો અહીં ગંગામાં ન્હાવા આવે છે અને પોતાના લોકોને ભૂલી જાય છે. આજે અમારી પાસે આવેલા 550 મહિલા-પુરૂષ અને 4 બાળકોને અમે મેળવી ચૂક્યા છે.”
[yop_poll id=696]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]