જાણો કેવી રીતે ગુજરાત સરકારમાં મંત્રી મંડળનું વિસ્તરણ કરવાથી ભાજપને પેટાચૂંટણીમાં થઈ શકે છે નુકસાન

લોકસભાની ચૂટણીના પરિણામ જાહેર થતાની સાથે જ ગુજરાતમા મંત્રીમંડળના વિસ્તરણને લઇને ધમધમાટ શરૂ થઇ ગયો હતો. જવાહર ચાવડા અને કુંવરજી બાવળીયાને મંત્રી પદ મળ્યા બાદ ભાજપના અડધો ડઝનથી વધુ MLAએ પોતાને મંત્રી મંડળમાં સમાવેશ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેને લઈ એક સમયે ખટરાગની પરિસ્થિતિ ઉભી થઈ હતી. જો કે અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ […]

જાણો કેવી રીતે ગુજરાત સરકારમાં મંત્રી મંડળનું વિસ્તરણ કરવાથી ભાજપને પેટાચૂંટણીમાં થઈ શકે છે નુકસાન
bjp
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Sep 01, 2019 | 11:23 AM

લોકસભાની ચૂટણીના પરિણામ જાહેર થતાની સાથે જ ગુજરાતમા મંત્રીમંડળના વિસ્તરણને લઇને ધમધમાટ શરૂ થઇ ગયો હતો. જવાહર ચાવડા અને કુંવરજી બાવળીયાને મંત્રી પદ મળ્યા બાદ ભાજપના અડધો ડઝનથી વધુ MLAએ પોતાને મંત્રી મંડળમાં સમાવેશ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેને લઈ એક સમયે ખટરાગની પરિસ્થિતિ ઉભી થઈ હતી. જો કે અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ અટકળોને હાલ પૂર્ણ વિરામ લાગ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

આ પણ વાંચોઃ HSRP નંબર પ્લેટ લગાવવાની મુદ્દત પૂર્ણ, HSRP વિનાના વાહનચાલકોને ફટકારાશે દંડ

સામાન્ય રીતે મંત્રી મંડળમાં ક્યારે અને કોનો સમાવેશ કરવો આ બધી સત્તા મુખ્યપ્રધાન પાસે જ હોય છે. જો કે વાત જ્યારે ભાજપ સરકારની હોય અને ગુજરાતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાનો હોય તો અંતિમ નિર્ણય કેન્દ્રીય સંગઠન દ્વારા અને તેમા પણ ગૃહ પ્રધાન અમિત શાહનો જ હોય છે. ગૃહ પ્રધાને ગુજરાત મુલાકાત સમયે સીએમ તથા રાજ્ય ગૃહ મંત્રી પ્રદીપ સિંહ જાડેજા અને પ્રદેશ અધ્યક્ષ સાથે બેઠક કરી હતી. જેમા સંગઠન તથા સરકારને પેટાચૂંટણીઓ માટે કવાયત હાથ ધરવા જણાવ્યું હતું. તો ઓકટોબર તથા નવેમ્બરમાં ચૂંટણી યોજાશે. જેથી હાલ મંત્રી મંડળમાં કોઈ ફેરફાર ન કરવાનું સૂચન થયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પ્રકારનો નિર્ણયના મુખ્ય 2 કારણ માનવામા આવી રહ્યા છે. પ્રથમ તો મધ્ય ગુજરાત સુરત તથા ઉત્તર ગુજરાતમાં અનેક દિગ્ગજ MLAનો મંત્રી મંડળમાં સમાવેશ કરવા રજૂઆત કરવામાં આવી છે. પોતે મંત્રી મંડળમાં નહીં હોય તો પાર્ટીને સ્થાનિક સ્તરે નુકસાન થાય એવી આડકતરા સંદેશ આપવામાં આવ્યા છે. અને તેની સીધી અસર પેટાચૂંટણીમાં 7 બેઠક પર ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થઇ શકે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સાથે જ જે રીતે કુંવરજી બાવળિયા, જવાહર ચાવડાને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડીને ટૂંક સમયમા જ મંત્રી પણ બનાવી દેવામા આવ્યા છે. જેના કારણે મૂળ ભાજપના કાર્યકર્તાઓથી લઈ  પદાધિકારીઓમાં અન્યાયની ભાવના ઉભી થઈ હતી. અને જો હવે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહને પણ આવી રીતે મંત્રી બનાવી દેવામાં આવશે તો ક્યાંક ભાજપમાં ભર ચોમાસે ભડકો થઈ શકે છે. જેથી પેટા ચૂંટણીના અંત બાદ કોઈ નિર્ણય લેવામાં આવી શકે અથવા ત્યાં સુધી કોઈ નિર્ણય જ ન કરવામાં આવે તેવું વાતાવરણ દેખાઈ છે.

[yop_poll id=”1″]

જો કે કેન્દ્રમાં ભાજપની સરકારે 370ની કલમ દૂર કરીને પોતના માટે મતના મુદ્દાઓ ઉભા કરી લીધા છે. પરંતુ સ્થાનિક ચૂંટણીમાં સ્થાનિક નેતા અને સ્થાનિક મુદ્દાઓ અસરકારક હોય છે. ત્યારે જોવું રહ્યું કે, કોંગ્રેસના હાલ છે અને પેટાચૂંટણીમાં કોંગ્રેસ શું કરી શકશે.

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">