VIDEO: વડોદરા શહેરમાં વકર્યો રોગચાળો, શહેરમાં ડેન્ગ્યુથી 48 કલાકમાં 5 લોકોના મોત
વડોદરા શહેરમાં ડેન્ગ્યુનો રોગચાળો એ હદે વકર્યો છે કે છેલ્લા 48 કલાકમાં જ 5 લોકોનાં મોત થયા છે. દર્દીઓનો ધસારો એટલો વધી ગયો છે કે શહેરની મુખ્ય સરકારી હોસ્પિટલમાં જ ખાટલા ખૂટી પડ્યા છે. જેના કારણે હોસ્પિટલમાં જમીન પર પથારી કરીને દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. હોસ્પિટલના સત્તાધીશો કેટલા બેદરકાર છે તે આ દ્રશ્યો […]
વડોદરા શહેરમાં ડેન્ગ્યુનો રોગચાળો એ હદે વકર્યો છે કે છેલ્લા 48 કલાકમાં જ 5 લોકોનાં મોત થયા છે. દર્દીઓનો ધસારો એટલો વધી ગયો છે કે શહેરની મુખ્ય સરકારી હોસ્પિટલમાં જ ખાટલા ખૂટી પડ્યા છે. જેના કારણે હોસ્પિટલમાં જમીન પર પથારી કરીને દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. હોસ્પિટલના સત્તાધીશો કેટલા બેદરકાર છે તે આ દ્રશ્યો પરથી જ પુરવાર થાય છે. દર્દીઓનો આક્ષેપ છે કે તેમને પૂરતી સુવિધાઓ આપવામાં નથી આવી રહી.
આ પણ વાંચો: ભાવનગરમાં શિપબ્રેકરો અને ઉદ્યોગપતિઓને ત્યાં આવકવેરા વિભાગના દરોડા, જુઓ VIDEO
હોસ્પિટલમાં ડેન્ગ્યુ અને ડાયેરિયા જેવા બીમારી ધરાવતા દર્દીઓ સારવાર હેઠળ છે. તેમ છતાં કોઈ કાળજી રાખવામાં ન આવતાં દર્દીઓની હાલાકીમાં વધારો થયો છે. એકતરફ શહેરમાં ગંદકીના કારણે રોગચાળો વકર્યો છે. જ્યારે બીજીતરફ હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ છે. જેથી હવે દર્દીઓમાં પ્રશ્ન થઈ રહ્યો છે કે જવું તો જવું ક્યાં? કારણ કે સયાજી હોસ્પિટલમાં મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે. અહીં આખા જિલ્લામાંથી દર્દીઓ સારવાર માટે એવી આશા લઈને આવતા હોય છે કે તેમને સારી સુવિધા સાથે યોગ્ય સારવાર મળી રહે. પરંતુ અહીં તો હોસ્પિટલના જ હાલ બેહાલ થઈ ગયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે પણ પણ સ્વીકાર્યું છે કે- દર્દીઓને જમીન પર સારવાર આપવામાં આવી રહી છે. તેમણે દાવો કર્યો કે આ સમસ્યા થોડા સમય પૂરતી છે. જલ્દી જ દર્દીઓની સંખ્યા ઘટશે ત્યારે કોઈ સમસ્યા નહીં રહે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો