ચૂંટણી પરિણામમાં હિંસાની આશંકાને લઈને ગૃહ મંત્રાલય એક્શનમાં, તમામ રાજ્યોને આપ્યા દિશા-નિર્દેશો
23મેના રોજ લોકસભા ચૂંટણીની મત ગણતરી પ્રક્રિયા સમગ્ર ભારતમાં યોજાવાની છે. આ બાબતે કોઈ અણબનાવ ન બને અને વ્યવસ્થા જળવાઈ તે માટે ગૃહ મંત્રાલયે રાજ્યોને એલર્ટ રહેવા તાકીદ કરી છે. ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા બધા જ રાજ્યોના મુખ્ય સચિવ અને પોલીસ વડાઓને એલર્ટ કરી દેવાયા છે અને 23મેના રોજ જે મત ગણતરી યોજાવાની છે […]
23મેના રોજ લોકસભા ચૂંટણીની મત ગણતરી પ્રક્રિયા સમગ્ર ભારતમાં યોજાવાની છે. આ બાબતે કોઈ અણબનાવ ન બને અને વ્યવસ્થા જળવાઈ તે માટે ગૃહ મંત્રાલયે રાજ્યોને એલર્ટ રહેવા તાકીદ કરી છે.
ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા બધા જ રાજ્યોના મુખ્ય સચિવ અને પોલીસ વડાઓને એલર્ટ કરી દેવાયા છે અને 23મેના રોજ જે મત ગણતરી યોજાવાની છે તેમાં કોઈપણ પ્રકારનો અણબનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તાકીદ કરાઈ છે.
આ પણ વાંચો: લોકસભાની 78 સીટ નક્કી કરશે દેશની સત્તા, જાણો આ સીટો પર કઈ પાર્ટીઓ છે મજબૂત?
અર્લટમાં રાજ્યોને જણાવાયું છે કે 23મેના રોજ જ્યારે મત ગણતરીની પ્રક્રિયા યોજાવાની છે ત્યારે દેશના વિભિન્ન રાજ્યોમાં દંગાઓ ભડકી શકે છે. ગૃહ મંત્રાલયે રાજ્યો અને સંઘ શાસિત પ્રદેશોમાં કાનૂન વ્યવસ્થા જાળવવા માટે અપીલ કરી છે. આમ દેશમાં કોઈપણ પ્રકારની હિંસા ન થાય તે માટે ગૃહ મંત્રાલયે રાજ્યોને દિશા-નિર્દેશો મોકલ્યા છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]