Target Killing : ગૃહમંત્રી અમિત શાહ આજે કાશ્મીરની સ્થિતિની કરશે સમીક્ષા, ટાર્ગેટ કિલિંગ પર લેવાઈ શકે છે મોટો નિર્ણય

કાશ્મીરમાં એક પછી એક ટાર્ગેટ કિલિંગની ઘટનાઓએ ત્યાં રહેતા હિન્દુઓમાં ખળભળાટ મચાવી દીધો છે. કાશ્મીરી પંડિતોએ સામૂહિક હિજરતની જાહેરાત કરી છે. આ માટે તેમણે શુક્રવાર, 3 જૂનની તારીખ નક્કી કરી છે.

Target Killing : ગૃહમંત્રી અમિત શાહ આજે કાશ્મીરની સ્થિતિની કરશે સમીક્ષા, ટાર્ગેટ કિલિંગ પર લેવાઈ શકે છે મોટો નિર્ણય
Home Minister Amit Shah ( File photo )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2022 | 7:51 AM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આજે જમ્મુ-કાશ્મીરની સ્થિતિની સમીક્ષા કરશે. આ બેઠકમાં કાશ્મીર ખીણ પ્રદેશમાં વધી રહેલી ટાર્ગેટ કિલિંગની (Target Killing) ઘટનાઓ પર મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. જમ્મુ અને કાશ્મીર પર શાહ દ્વારા પખવાડિયામાં બોલાવવામાં આવેલી આ બીજી ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠક (Review meeting) હશે. આવી સ્થિતિમાં અંદાજ લગાવી શકાય છે કે કેન્દ્ર સરકાર કાશ્મીરની (Kashmir) સ્થિતિને લઈને ઘણી ચિંતિત છે. એક દિવસ પહેલા જ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા બીન કાશ્મીરી બે મજૂરોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જેમાં બિહારના એક મજૂરનું મોત થયું છે, જ્યારે અન્ય એક વ્યક્તિની હાલત ગંભીર છે.

બેઠકમાં તમામ એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ રહેશે હાજર

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે આ બેઠકમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે, કેન્દ્ર શાસિત પ્રદેશના અર્ધલશ્કરી દળોના ટોચના અધિકારીઓ, ગુપ્તચર એજન્સીઓ, પોલીસ અને નાગરિક વહીવટીતંત્ર હાજર રહેશે. આ બેઠકમાં 30 જૂનથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રા પહેલા આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને ખીણમાં સુરક્ષાની સ્થિતિને સારી રીતે નિયંત્રણમાં લાવવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે તમામ વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવશે.

ટાર્ગેટ કિલિંગ પર મોટો નિર્ણય લેવાઈ શકે છે

સૂત્રોએ જણાવ્યું હતું કે ઉપરાજ્યપાલ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ અને લક્ષ્યાંકિત હત્યાઓને રોકવા માટે લેવામાં આવેલા પગલાં વિશે વિગતવાર માહિતી આપશે. જેમાં અમરનાથ યાત્રાની સુરક્ષાની બ્લુ પ્રિન્ટ પણ તૈયાર કરવામાં આવી શકે છે. એટલું જ નહીં, કાશ્મીર ઘાટીમાં સુરક્ષાની સ્થિતિને વધુ મજબૂત કરવા પર પણ વાતચીત થઈ શકે છે. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં તમામ એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ ભાગ લેવાના છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ટાર્ગેટ કિલિંગ વચ્ચે કાશ્મીરી પંડિતોએ હિજરતની જાહેરાત કરી

કાશ્મીરમાં એક પછી એક ટાર્ગેટ કિલિંગની ઘટનાઓએ ત્યાં રહેતા હિન્દુઓમાં ખળભળાટ મચાવી દીધો છે. ગુરુવારે સવારે કુલગામમાં બેંક મેનેજરની હત્યા બાદ મોડી સાંજે બડગામમાં બે મજૂરોને ગોળી મારી દેવામાં આવી હતી. તેમાંથી એકનું મોત થયું હતું. દરમિયાન કાશ્મીરી પંડિતોએ સામૂહિક હિજરતની જાહેરાત કરી છે. આ માટે તેણે શુક્રવાર, 3 જૂનની તારીખ નક્કી કરી છે.

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">