શું ખરેખર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 200 ટન સોનું વિદેશમાં મોકલી દીધું છે? જાણો સાચી હકીકત
સોશિયલ મીડિયામાં એક ખબર ફેલાઈ રહી છે કે ભારતની રિઝર્વ બેંક દ્વારા 200 ટન સોનું સ્વિટ્ઝલેન્ડમાં મોકલી દેવાયું છે અને તેના લીધે દેશને નુકસાન પહોંચ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા જણાવ્યું કે કેટલાંક મીડિયા અહેવાલોના આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે 200 ટન સોનું વિદેશમાં મોકલી દેવાયું છે. આ તમામ અહેવાલો ખોટા છે અને […]
સોશિયલ મીડિયામાં એક ખબર ફેલાઈ રહી છે કે ભારતની રિઝર્વ બેંક દ્વારા 200 ટન સોનું સ્વિટ્ઝલેન્ડમાં મોકલી દેવાયું છે અને તેના લીધે દેશને નુકસાન પહોંચ્યું છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા જણાવ્યું કે કેટલાંક મીડિયા અહેવાલોના આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે 200 ટન સોનું વિદેશમાં મોકલી દેવાયું છે. આ તમામ અહેવાલો ખોટા છે અને વિદેશોમાં સોનું રાખવું તે રિઝર્વ બેંકની નિયમીત પ્રક્રિયા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એવું પણ કહ્યું કે 2014 બાદ કોઈપણ જાતનું એક ટકા પણ સોનું વિદેશમાં મોકલવામાં આવ્યું નથી.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા જણાવ્યા મુજબ સોનું કેન્દ્રીય બેંકોની સાથે ઈંગ્લેન્ડની બેંકમાં સોનું રાખવું તે સામાન્ય ગતિવિધી છે. આ અહેવાલમાં જણાવાયું છે કે 2014ના વર્ષ બાદ એક રતી જેટલું પણ સોનું વિદેશમાં મોકલવામાં આવ્યું નથી અને આ મીડિયાના અહેવાલો તથ્યની રીતે ખોટા છે.
આ ખબર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે અને તેમાં ખાસ કરીને મોદી સરકારને ટાર્ગેટ કરવામાં આવી રહી છે કે તેમાં શાસનમાં સોનું વિદેશમાં મોકલવામાં આવી રહ્યું છે. આ અહેવાલો બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ખૂલાસો કરીને કહ્યું કે આવું કોઈપણ જાતનું એક રતી જેટલું પણ સોનું વર્ષ 2014 બાદ વિદેશમાં મોકલવામાં આવ્યું નથી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]