હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, અશોક તંવરે કોંગ્રેસમાંથી રાજીનામું
હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. હરિયાણા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અશોક તંવરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે. ટિકિટ વહેચણીને લઈ અશોક તંવર પાર્ટીની કાર્યપદ્ધતિથી નારાજ હતા. અશોક તંવરે આક્ષેપ કર્યો કે 5 કરોડ રૂપિયામાં ટિકિટની વેચણી થઈ રહી છે. જે બાદ તેમણે પ્રાથમિક સદસ્યતા પરથી રાજીનામું આપી દીધુ છે. પોતાના ટ્વીટર […]
હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. હરિયાણા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અશોક તંવરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે. ટિકિટ વહેચણીને લઈ અશોક તંવર પાર્ટીની કાર્યપદ્ધતિથી નારાજ હતા. અશોક તંવરે આક્ષેપ કર્યો કે 5 કરોડ રૂપિયામાં ટિકિટની વેચણી થઈ રહી છે. જે બાદ તેમણે પ્રાથમિક સદસ્યતા પરથી રાજીનામું આપી દીધુ છે. પોતાના ટ્વીટર પરથી રાજીનામાની જાહેરાત કરી હતી.
હાલમાં જ અશોક તંવરે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. જેમાં તેમને તમામ જવાબદારીમાંથી મુક્ત કરવાની અરજ કરી હતી. જેમાં કહ્યું હતું કે, હું પાર્ટીની તમામ સમિતિમાંથી મારી જવાબદારીને છોડવા માગી રહ્યો છું. આ અંગે મે અધ્યક્ષને અનુલક્ષીને પત્ર લખ્યો છે. હું માત્ર પાર્ટીના એક કાર્યકર તરીકે કામ કરવા માગું છું. જે બાદ તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
મહત્વનું છે કે, હરિયાણામાં પણ મહારાષ્ટ્ર સહિત ઝારખંડમાં 21 ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. જેની મતગણતરી 24 ઓક્ટોબરે છે.