સુરત અગ્નિકાંડ મુદ્દે હાર્દિક પટેલે સુરત મેયરના રાજીનામાની કરી માગ, સરકારને આપ્યું 12 કલાકનું અલ્ટીમેટમ
સુરતના સરથાણામાં જે તક્ષશિલા બિલ્ડીંગમાં જે દુર્ઘટના સર્જાઈ તે બાદ તમામ નેતાઓ પોતની પ્રતિક્રિયા આપી રહ્યાં છે એવામાં અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે પણ ટ્વિટ કર્યુ છે. હાર્દિક પટેલે સુરતના ટ્યુશન ક્લાસિસમાં લાગેલી આગની ઘટનાને લઈ મેયરના રાજીનામાની માગણી કરી છે. હાર્દિક પટેલે રાજ્ય સરકારને સુરતના મેયરનું રાજીનામું લેવા 12 કલાકનો સમય આપ્યો છે. […]
સુરતના સરથાણામાં જે તક્ષશિલા બિલ્ડીંગમાં જે દુર્ઘટના સર્જાઈ તે બાદ તમામ નેતાઓ પોતની પ્રતિક્રિયા આપી રહ્યાં છે એવામાં અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે પણ ટ્વિટ કર્યુ છે. હાર્દિક પટેલે સુરતના ટ્યુશન ક્લાસિસમાં લાગેલી આગની ઘટનાને લઈ મેયરના રાજીનામાની માગણી કરી છે.
હાર્દિક પટેલે રાજ્ય સરકારને સુરતના મેયરનું રાજીનામું લેવા 12 કલાકનો સમય આપ્યો છે. જો સુરત મહાપાલિકાના મેયરનું રાજીનામું નહીં લેવાય તો હાર્દિક પટેલે મ્યુનિસિપલ કચેરી સામે ઉપવાસ પર બેસવાની ચીમકી આપી છે.
આ પણ વાંચો: સુરત અગ્નિકાંડ બાદ ફાયર વિભાગની કાર્યવાહી, ઈમારતો સીલ કરવાની કામગીરી શરૂ