VIDEO: સ્વચ્છતા અભિયાનમાં ગુજરાતને વધુ એક એવોર્ડ, ‘બેસ્ટ સ્વચ્છ આઇકોનીક પ્લેસ’ તરીકે યાત્રાધામ સોમનાથની પસંદગી
સ્વચ્છતા અભિયાનમાં ગુજરાતને વધુ એક પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત થઇ રહ્યો છે. આ વખતે બેસ્ટ સ્વચ્છ આઇકોનીક પ્લેસ તરીકે યાત્રાધામ સોમનાથની પસંદગી થઇ છે. શુક્રવારે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાનારા એક સમારોહમાં ગુજરાતને આ એવોર્ડ અર્પણ કરાશે. ભારત સરકારના જલશકિત, પેયજળ અને સ્વચ્છતા મંત્રાલયે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા-સફાઇની ઉત્કૃષ્ટતા અને નવા પ્રયોગો માટે જે […]
સ્વચ્છતા અભિયાનમાં ગુજરાતને વધુ એક પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત થઇ રહ્યો છે. આ વખતે બેસ્ટ સ્વચ્છ આઇકોનીક પ્લેસ તરીકે યાત્રાધામ સોમનાથની પસંદગી થઇ છે. શુક્રવારે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાનારા એક સમારોહમાં ગુજરાતને આ એવોર્ડ અર્પણ કરાશે. ભારત સરકારના જલશકિત, પેયજળ અને સ્વચ્છતા મંત્રાલયે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા-સફાઇની ઉત્કૃષ્ટતા અને નવા પ્રયોગો માટે જે માનદંડો નક્કી કર્યા છે. તેમાં બેસ્ટ સ્વચ્છ આઇકોનીક પ્લેસ તરીકે યાત્રાધામ સોમનાથની પસંદગી કરવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રાજ્યના યાત્રા-પ્રવાસન ધામોને સ્વચ્છ-સુઘડ સાફસુથરા રાખવાનું અભિયાન તા. 1 એપ્રિલ- 2017થી હાથ ધરવામાં આવ્યું છે. જેમાં યાત્રાધામો દ્વારકા, સોમનાથ, અંબાજી, પાલીતાણા, શામળાજી, ગિરનાર અને પાવાગઢ સહિતના યાત્રાધામોમાં મોટાપાયે સફાઇ હાથ ધરવામાં આવે છે. સોમનાથ યાત્રાધામમાં કુલ 1.74 લાખ સ્કે. મીટર વિસ્તારમાં દરરોજ સ્વછતા–સફાઇની કામગીરી હાથ ધરવામાં આવે છે.
[yop_poll id=”1″]