આજે ગુજરાતમાં કોરોનાના નવા 1,487 કેસ નોંધાયા, 1,234 કેસોમાં રિકવરી થઈ
ગુજરાતમાં દિન પ્રતિદીન કોરોના માથુ ઉંચકી રહ્યો છે. જેને નાથવા માટે અમદાવાદ સહિતના મહાનગરોમાં રાત્રી કર્ફયુ પણ જાહેર કરાયું છે. ત્યારે આજે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,487 કેસ નોંધાયા છે. જ્યારે 17 લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયાં છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ 17માંથી 13 મોત તો ફક્ત અમદાવાદમાં જ નોંધાયા […]
ગુજરાતમાં દિન પ્રતિદીન કોરોના માથુ ઉંચકી રહ્યો છે. જેને નાથવા માટે અમદાવાદ સહિતના મહાનગરોમાં રાત્રી કર્ફયુ પણ જાહેર કરાયું છે. ત્યારે આજે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,487 કેસ નોંધાયા છે. જ્યારે 17 લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયાં છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ 17માંથી 13 મોત તો ફક્ત અમદાવાદમાં જ નોંધાયા છે. જ્યારે રાજકોટ, સુરત અને વડોદરમાં પણ કોરોનાના કારણે એક એક મોત થયાં છે. જો કે, આ બધાની વચ્ચે સારા સમાચાર એ પણ છે કે 1,234 જેટલા પેશન્ટને કોરોનામાંથી રિકવરી પણ થઈ છે. મહત્વનું છે કે વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યમાં કોરોનાના 13,836 એક્ટિવ કેસ સામે આવ્યાં છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
YT રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો