તહેવારોમાં દાખવેલી બેદરકારીથી વકરી રહ્યો છે કોરોના, રાજ્યમાં નવા 1281 પોઝિટિવ કેસ નોંધાયા
તહેવારોમાં આપણે દાખવેલી બેદરકારી હવે મોંઘી સાબિત થઈ રહી છે. રાજ્યમાં સતત વકરી રહ્યો છે કોરોના. પાછલા 24 કલાકમાં રાજ્યમાં 1281 પોઝિટિવ કેસ નોંધાયા, તો 8 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા. નવા પોઝિટિવ કેસ નોંધાવાની સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1 લાખ 91 હજાર 642ને પર પહોંચી છે, તો કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,823 પર પહોંચ્યો […]
તહેવારોમાં આપણે દાખવેલી બેદરકારી હવે મોંઘી સાબિત થઈ રહી છે. રાજ્યમાં સતત વકરી રહ્યો છે કોરોના. પાછલા 24 કલાકમાં રાજ્યમાં 1281 પોઝિટિવ કેસ નોંધાયા, તો 8 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા. નવા પોઝિટિવ કેસ નોંધાવાની સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1 લાખ 91 હજાર 642ને પર પહોંચી છે, તો કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,823 પર પહોંચ્યો છે. રાજ્યના શહેરોની જો વાત કરીએ તો અમદાવાદમાં નવા 181 પોઝિટિવ કેસ સાથે 4 દર્દીઓએ જીવ ગુમાવ્યો, તો અમદાવાદ જિલ્લામાં પણ 1 મોત થયું. સુરતમાં 1 દર્દીના મોત સાથે 181 પોઝિટિવ કેસ નોંધાયા, તો રાજકોટમાં નવા 96 પોઝિટિવ કેસ અને વડોદરામાં 104 પોઝિટિવ કેસ નોંધાયા.
આ પણ વાંચો: ધોરણ 9 થી 11ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, સ્કૂલો ખોલવા અંગે સરકારે જાહેર કરી માર્ગદર્શિકા
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો