રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન મોદી ગુજરાત આવશે, જાણો સમગ્ર કાર્યક્રમ
આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ પર વડાપ્રધાન મોદી અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમમાં ઉજવણી કરશે. પીએમ મોદી સાંજે પાંચ અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે. જ્યાં મુખ્યપ્રધાન રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને રાજ્યપાલ તેમને આવકારશે. તો પીએમ મોદી એરપોર્ટ પર જ 10 હજાર જેટલા કાર્યકરોને સંબોધન […]
આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ પર વડાપ્રધાન મોદી અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમમાં ઉજવણી કરશે. પીએમ મોદી સાંજે પાંચ અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે. જ્યાં મુખ્યપ્રધાન રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને રાજ્યપાલ તેમને આવકારશે. તો પીએમ મોદી એરપોર્ટ પર જ 10 હજાર જેટલા કાર્યકરોને સંબોધન કરશે.
આ પણ વાંચોઃ નવરાત્રીમાં ખેલૈયાઓ માટે સારા સમાચાર, હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જે બાદ સાંજના સાડા છ વાગ્યાની આસપાસ તેઓ ગાંધી આશ્રમ જશે. બાદમાં પીએમ મોદી રિવરફ્રન્ટ પર જશે અને સરપંચ સંમેલનમાં સ્વચ્છતા અને શૌચાલયને લઈને પોતાના ગામમાં સરાહનીય કામગીરી કરનારા સરપંચોની સન્માન કરશે. સાથે જ પીએમ મોદી તેમને સંબોધન પણ કરશે. તો રિવરફ્રન્ટ પર કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદી જીએમડીસી ગ્રાઉન્ડ પર આયોજિત ગરબાના કાર્યક્રમમાં જશે. ત્યાં તેઓ માં અંબાની આરતી કરીને પૂજા અર્ચના કરશે. ત્યારબાદ રાત્રે સવા નવ વાગ્યે વડાપ્રધાન મોદી દિલ્લી જવા રવાના થશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો