ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ વસ્ત્રાલ વિસ્તારમાં ઉત્તરાયણની ઉજવણી કરી, પતંગબાજોને ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા કરી અપીલ
ગુજરાતીઓનો મનગમતો ઉત્સવ એટલે ઉત્તરાયણ, મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવા ગુજરાતીઓ કોઈ કસર રાખવા માગતા નથી. એટલે જ સવારની કડકડતી ઠંડીમાં જ પતંગરસિયાઓ પતંગ, દોરા લઈને ધાબ પર ચડી ગયા છે. સૂરજ નીકળતાની સાથે જ લોકો પતંગ, ફીરકી તેમજ ચીક્કી, લાડુ સહિતના નાસ્તા સાથે ધાબા પર અડિંગો જમાવવા લાગ્યા છે. Web Stories View more ગરમી વધતા […]
ગુજરાતીઓનો મનગમતો ઉત્સવ એટલે ઉત્તરાયણ, મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવા ગુજરાતીઓ કોઈ કસર રાખવા માગતા નથી. એટલે જ સવારની કડકડતી ઠંડીમાં જ પતંગરસિયાઓ પતંગ, દોરા લઈને ધાબ પર ચડી ગયા છે. સૂરજ નીકળતાની સાથે જ લોકો પતંગ, ફીરકી તેમજ ચીક્કી, લાડુ સહિતના નાસ્તા સાથે ધાબા પર અડિંગો જમાવવા લાગ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ત્યારે રાજકીય નેતાઓએ પણ ધામધૂમથી ઉત્તરાયણની ઉજવણી કરી. ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ વસ્ત્રાલ વિસ્તારમાં પતંગ ચગાવીને મકરસંક્રાંતિનો પર્વ મનાવ્યો અને પતંગબાજોને અપીલ કરી કે તેઓ ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરે.
ત્યારે બીજી તરફ બારડોલીના ધારાસભ્ય અને કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારે ખરવાંસા ખાતે દિવ્યાંગ બાળકો સાથે પતંગ ચગાવીને ઉજવણી કરી હતી. તેમને બાળકોને પતંગ, લાડુ અને ફ્રુટની વહેંચણી કરી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો