અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં કોરોનાના દર્દીઓના સાજા થવાનો દર ઓછો, મૃત્યુઆંક વધુ
કોરોના દર્દીઓનુ સાજા થવાનું પ્રમાણ ગુજરાતમાં અન્ય રાજ્યો કરતા ઓછુ હોવાનું સામે આવ્યુ છે. સમગ્ર દેશમાં ગુજરાતનો નંબર 23મો આવ્યો છે. ગુજરાતમાં કોરોનાના જેટલા પણ દર્દીઓ છે તેમાંથી 91.20 ટકા જ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફરે છે. સમગ્ર રાજ્યમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓનો આંકડો એક લાખને પાર થઈ ગયો હોવા છતા આ સંખ્યા અન્ય […]
કોરોના દર્દીઓનુ સાજા થવાનું પ્રમાણ ગુજરાતમાં અન્ય રાજ્યો કરતા ઓછુ હોવાનું સામે આવ્યુ છે. સમગ્ર દેશમાં ગુજરાતનો નંબર 23મો આવ્યો છે. ગુજરાતમાં કોરોનાના જેટલા પણ દર્દીઓ છે તેમાંથી 91.20 ટકા જ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફરે છે. સમગ્ર રાજ્યમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓનો આંકડો એક લાખને પાર થઈ ગયો હોવા છતા આ સંખ્યા અન્ય રાજયોની સરખામણીએ ઓછી હોવાનું કહેવાય છે. આસામમાં સૌથી વધુ 98.3 ટકા રીકવરી રેટ છે. ગુજરાતમાં નવસારી જિલ્લાનો રીકવરી રેટ 98.40 ટકા છે. વલસાડ 98 ટકા, પોરબંદર, ડાંગ અને ભાવનગરમાં રિકવરી રેટ 96.70 ટકા છે. બોટાદ 85.10 ટકા, અમરેલી 85.60 ટકા, અરવલ્લી 84.90 ટકા, પાટણ અને અમરેલી 83.90 ટકા રીકવરી રેટ ધરાવે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો